ટ્રાવેલ એજન્ટ વતી કરેલું બુકિંગની રકમ 3 લાખ યાત્રિકોને પરત ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો
Rajkot,તા.૩૦
રાજકોટમાં ટ્રાવેલિંગ એજન્સી વતી કરેલા યાત્રીઓના બુકિંગની રકમ પેટે આપેલો રૂપિયા 3 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી પેટા ટ્રાવેલ એજન્ટ મહિલાને એક વર્ષની સજા અને લેણી રકમ વળતર પેટે ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં સ્કવેડ ટુર્સવાળા હુસૈન હાતિમ કાથાવાલાને પેટા ટ્રાવેલ એજન્ટ ચંદ્રિકાબેન પ્રબોધભાઈ ઓઝા તથા તેમના પુત્રી વિરલ પ્રબોધભાઈ ઓઝાએ અમદાવાદથી રશિયા જવા- આવવાની છ વ્યક્તિઓના ટુર પેકેજ રૂ. ૩.૩૬ લાખમાં બુક કરાવી રૂ.૩ લાખનો ચેક આપેલ હતો. જે ચેક હુસેન કાથાવાલાએ પોતાની બેંકમાં પાસ કરવા રજુ કરતાં ફંડસ ઇનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા લીગલ નોટિસ બાદ પેટા ટ્રાવેલ્સ એજન્ટ ચંદ્રિકાબેન ઓઝા સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા તમામ દસ્તાવેજો ઉપર તથા દલીલ તબક્કે ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવતા, ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એસ.પ્રજાપતિએવઆરોપી ચંદ્રિકાબેન પ્રબોધભાઈ ઓઝાને એક વર્ષની કેદની સજા તથા લેણી નીકળતી રકમ ઉપર વાર્ષિક છ ટકાના વ્યાજ સાથે એક માસની અંદર ચુકવી આપવી અને જો આરોપી તેમ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ત્રણ માસની સજા કરતો હુકમ કરવામાં આવેલ છે. આ કામના ફરિયાદી મ એડવોકેટ નિરવ પી. દોશી તથા પ્રફુલભાઈ એચ. દોશી રોકાયા હતા.