Site icon Shri Nutan Saurashtra

માઁ Amba સ્વરૂપ જ્યાં નજર જાય તે સર્વ વ્યાપક સ્વરૂપ શક્તિ સ્વરૂપ પૂજન કરી છીએ

માઁ અંબાની ભક્તિ નોરતામાં દરેક માનવી પોતાની બુદ્ધિ તથા ઈચ્છાને તૃપ્ત કરવા – યુગાંતરથી વૈજ્ઞાાનિક પદ્ધતિ માંની ઉપાસના વિશ્વને ભારતે આપી.

ભાદરવી સુદ પૂનમે માઁ અંબાને ઘરે પધારી નોરતાની દિવ્યશક્તિ પ્રાપ્ત કરવા લાખો માનવ ચાલીને એ અંબાજી મંદિર જઈ માં ને વિનંતી કરે છે. દરેક માનવની જેવી ઈચ્છા સાથે- મનોકામના બનાવો તેવી શક્તિ પ્રાપ્ત થઈ અને ઘર-ગામ-શહેર-રાજય-દેશ-વિશ્વને આનંદિત રાખે છે. માઁ અંબાનું પૂજન- શ્રીયંત્ર સ્વરૂપ આરાસુરના પહાડ – માં હૃદયભાવ સ્વરૂપે બિરાજમાન છે.

માઁ અંબાની શક્તિ લાખો માણસ સેંકડો કિમી ચાલી – સંકલ્પ કરી અને માઁ અંબાના આશીર્વાદ લેવા જાય છે. પોતાના આંતરિક પૂજાપાવર સાથે મદદ કરે છે.

માઁ ની મદદ કઈ રીતે મલે?

માઁ અંબાના અનેક સ્વરૂપ જ જોગણીયુ સ્વરૂપ પૂજન કરે છે. માનવ પગપાળા સંઘ-અંબાજી જાય છે. આનું કારણ – આપણા શરીરમાં કરોડો-મન-પોઝીટીવ નેગેટિવ ચિંતન સાથે કાર્ય કરે છે. માઁ- અંબા-ચોટિલા-  પાવાગઢ કે અન્ય માઁ નાં મંદિરે ચાલીને જવાથી આપણને પરસેવો વળે છે. પરસેવાથી આપણા મનનાં નેગેટીવ વિચારના ઉદ્વેગ દુર થાય અને પોઝીટીવ વિચાર-ઈચ્છાશક્તિ શરૂ થાય આ માટે લોકો પગપાળા મંદિરે દર્શન કરવા જાય છે. આથી જ કહેવાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ ચૈતન્યભી ધિયતે

નમ : નમસ્તસ્યૈ નમો !

મતલબ કે માઁ સમગ્ર પૃથ્વીની દરેક પ્રકૃતિનું સર્જન-વિસર્જન કરનાર તું જ છો. મારી જ્યાં નજર પડે ત્યાં માં તારું સ્વરૂપ જોઉ છું આવી માતા હું તને વારંવાર નમન કરું છું.

માઁ અંબા- કઈ રીતે કાર્ય કરે છે?

આ માટે માઁ અંબાની એક સરસ સ્તુતિ છે. તેમાં માની મદદ માટે આવાહિત કરી બલ માગે છે.

યા દૈવી સર્વ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થીતા

નમતસ્યે – નમતસ્યે – નમતસ્યે નમો નમ : ।।

આ સ્તુતિ માઁનું વિરાટ સ્વરૂપ ચિંતન કરે છે. જે માનવ જેવી રીતે જે ભાવે પૂજન કરે તે ભાવને બલ આપે છે. ત્રણ અક્ષર ભાવ શક્તિનો આપુ છું.

શ – સતોગુણ – સ્વરૂપ વિચાર બલ આપે કરૂણા સાથે.

કિ – રજોગુણ – ભરણપોષણ સ્વરૂપે ઉપાર્જન ભાવ માટે મદદ કરે ગીતાનો રજોગુણ ભાવ.

ત – તમોગુણ – છળકપટ ભાવ લુંટી લેવાનો ભાવ છે. તમોગુણી માનવનું વર્ચસ્વ પૃથ્વી પર વધુ હોય છે. આ કાલચક્ર જેવું છે.

માઁ ની કલ્યાણ ભાવના સાથે માતાનું જેવી રીતે પૂજન કરશું તેવી રીતે આપણને ફળ મળશે. આથી જ સત્સંગમાં કહ્યું છે જીવનમાં કર્મના સિદ્ધાંત સાથે જન્મ મળે છે. કર્મનું ફળ દરેક માનવ-ભગવાન ખુદને ભોગવું પડે છે. માનવ-માત્ર કર્મ અધિકારી છે.

આપણને થાય – માતા આટલું બધું યાદ કઈ રીતે રાખે. આ પ્રશ્ન સ્વાભાવિક થાય. આપણો આત્મા કોઈપણ કર્મ ભૂલતો નથી. આપણા મન દર બે સેકન્ડે બુદ્ધિને જુદા જુદા બનાવ યાદ કરાવે છે. આપણું મનમાં જ્યારે કરૂણા ભાવ સાથે માઁ ની પૂજા શરૂ થાય. આ સમયે આત્માની અનેક જન્મની યાદી સાથે ગુપચુપ બેઠો.

માઁ અંબાની કૃપા બરસે ત્યારે જ મેઘાવી બુદ્ધિ ઉત્પન્ન થાય બ્રહ્માંડની શક્તિ મળે. આ માટે આપણે બધા અંબાજી મંદિર ચાલીને જઈએ છીએ. ૦-૧૩ ચિત્રાંગ નક્ષત્ર પ્રથમ નક્ષત્ર બ્રહ્માજીનો વાસ છે. બ્રહ્માજીના ગુરૂ માઁ અંબાની શક્તિ લેવા આશ્વીની નોરતા માઁ બળ સ્વરૂપે અંબાનું પૂજન કરીએ છીએ.

Exit mobile version