Site icon Shri Nutan Saurashtra

આત્મજ્ઞાન Atma Shiva

શિવપુરાણમાં આવે છે કે શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુને ઉપદેશ આપ્યો : ”મારા બે રૂપોની ઋષિઓએ પૂજા માટે વ્યવસ્થા કરી છે, એક તો મારા સર્પ, જટા, વાઘબરવાળા રૂપની, બીજા શિવલિંગની અર્થાત નિરાકાર રૂપની (અંગ-આકારરહિત રૂપના પ્રતિકની) ઓમ કારના જપથી શિવલિંગની પૂજા થાય છે અને ”ઁ નમ: શિવાય” મંત્રના જપથી મારી મૂર્તિની આ પ્રમાણે મારી પૂજા-અર્ચના કરવાથી પૂજકનો ભાવ શુધ્ધ થતાં એના માટે મુજ આત્મશિવને પામવા સુલભ બની જાય છે.

મંત્રોપાસના કરતા કરતા જ્યારે ઉપાસક બ્રહવેતા ગુરૂનાં સત્સંગથી શિવજીના તાત્વિક રૂપ વિષે સાંભળશે, એનું મનન-નિદિધ્યાસન કરશે તો એને ખબર પડશે કે તેઓ કેટલા સહજ-સ્વાભિક છે, નિતય પ્રાપ્ત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે न मां हुष्कृतिनो मूढा प्रयधन्ते नराधमा : । જે મનુષ્યોમાં અધમ છે એ મુજ આત્મશિવને, આત્મકૃષ્ણને નથી ભજતા, કેમ કે માયાએ એમનું જ્ઞાન હરી લીધું છે. આ પામુ, તે પામુ… પહેલા જે હતુ નહી એ મળશે તો પણ છૂટી જશે. પહેલા જે હતા, અત્યારે છે અને પછી પણ રહેશે અમને તો સહજમાં પામી શકાય છે. પરંતુ જે સહજમાં પામી શકાય છે, અને જેમને ખોવાનો ભય નથી એ તરફ જે જતા નથી એમની બુધ્ધિ બહેર મારી ગઈ છે.  એ લોકો ભાગ્યશાળી છે એમની બુધ્ધિમાં ભગવાન અને સત્સંગનું મહત્વ છે. તેઓ ભગવાનનો રસ, જ્ઞાન, આનંદ પામી લે છે. અને ભગવાન શાશ્વાત છે તો તેઓ પણ શાશ્ચતતામાં એકાકાર થઈ જાય છે, કંઈ બનતા નથી, જે છે એને જાણી લે છે.

माययापदपदतज्ञाना आसुरं भावमाश्रिता : ।। મા…..યા જે હોય નહી અને સાચુ દેખાય (ગીતા:૭.૧૫) બાળપણ સાચુ લાગતુ હતુ જતુ રહ્યુ, દુ:ખ સાચુ લાગતુ હતુ જતુ રહ્યુ પરંતુ એને જાણનાર સત્યસ્વરૂપ અત્યારે પણ છે. અને મૃત્યુ પછી પણ રહે છે. એ શિવ-તત્વ જ બ્રહ્મા, વિષ્ણુ મહેશ રૂપ છે કૃષ્ણરૂપ, રામરૂપ, ગુરુરૂપ… એક જ પરમેશ્વર અનેક રૂપોમાં ભાસે છે. જેમ એક જ સમુદ્ર અનેક કિનારાઓથી અનેક તરંગોથી, અનેક તટોથી, અનેક રાજ્યોથી અનેક પ્રકારનો ભાસે છે, એવી જ રીતે પરબ્રહ્મ પરમાત્મા અનેક રૂપમાં બિરાજમાન છે. આપણે એને આત્મરૂપે, સર્વેશ્વરરૂપે સ્નેહ કરીએ છીએ. શિવજી જેમા સુખી છે. સંતુષ્ટ છે, પરિતૃત્પ છે એમાં જ તમે સુખી, સંતુષ્ટ, પરિતૃપ્ત થઈ જશો આત્માજ્ઞાનથી મોટુ કોઈ જ્ઞાન નથી, આત્મસુખથી મોટુ કોઈ સુખ નથી.

 

Exit mobile version