ભયંકર હુમલામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૮૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Ukraine,તા.૩
છેલ્લા અઢી વર્ષથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ૩ સપ્ટેમ્બરના યુક્રેન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાના એરફોર્સે યુક્રેનના પોલ્તાવા શહેરમાં યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવી બે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીના જણાવ્યા મુજબ રશિયાના આ ભયંકર હુમલામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૮૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી આ હુમલા અંગે માહિતી આપી છે.
ઝેલેન્સકીએ કહ્યું કે, ’બે બેલેસ્ટિક મિસાઇલથી યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવ્યા છે. રશિયાના ભયંકર હુમલાથી ભયંકર વિનાશની સ્થિતિ સર્જાઇ છે. રશિયાએ ઇરાદાપૂર્વક યુક્રેનના રહેણાંક વિસ્તારો અને જાહેર સંપત્તીઓને નિશાન બનાવ્યો છે. આ હુમલામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૮૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.’