RBI Governor warned NBFC, સુધરી જજો! નહીં તો આકરાં પગલાં લઈશું

New Delhi,તા,09

RBI ગવર્નરે એનબીએફસી સેક્ટરની ખામીઓ અને ગેરરીતિઓને ધ્યાનમાં લેતાં કોઈ મોટા પગલાં જાહેર કર્યા વિના માત્ર ચેતવણી આપી છે. એનબીએફસીને ઝડપથી જાતે જ પોતાની ભૂલ સુધારી લેવા આહ્વાન કર્યું છે, અને જો આરબીઆઈની નજરમાં કોઈ ગેરરીતિ આવી તો તેની વિરૂદ્ધ આકરૂ વલણ ઉઠાવવાની ચીમકી પણ આપી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એનબીએફસીને ચેતવણી આપી છે કે, એનબીએફસી ઝડપથી પોતાની અનસિક્યોર્ડ લોન એક્સપોઝરનું સાવચેતીપૂર્વક આંકલન કરે, સમીક્ષા કરે, સેલ્ફ કરેક્શન કરી લે નહીં તો બાદમાં તેની વિરૂદ્ધ આકરા પગલાં ઉઠાવવામાં આવશે. આરબીઆઈ NBFC, HFC સહિતની નાણાકીય સંસ્થાઓના નિયમો અને એક્સપોઝર પર ચાંપતી નજર રાખી રહી છે. અનસિક્યોર્ડ લોનમાં અનેક પડકારો જોવા મળ્યા છે. જેથી તેમાં સાવચેતી રાખવી જરૂરી છે.

એનબીએફસીનું ફોકસ રિટર્ન પર

દાસે વધુમાં જણાવ્યું હતું કે, એનબીએફસી વાસ્તવિક માગ ઉપરાંત રિટેલ ટાર્ગેટ વધારવા પર ફોકસ કરી રહ્યું છે. એવામાં આરબીઆઈ ક્રેડિટ કાર્ડ, MFI લોન અને અનસિક્યોર્ડ લોન પર જારી થતા આંકડાઓ પર નજર રાખી રહી છે. એનબીએફસી માત્ર પોતાના રિટર્ન પર જ ફોકસ કરી રહી છે. જેમાં ઘણી એનબીએફસી અંડરરીટિંગ પ્રેક્ટિસનું પાલન કર્યા વિના આક્રમક ગ્રોથલક્ષી પગલાં લઈ રહી છે, જે યોગ્ય નથી. જેની વિરૂદ્ધ આરબીઆઈ જરૂર જણાય તો આકરા પગલાં લઈ શકે છે.

ગવર્નરે એનબીએફસી, હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ ઈક્વિટીમાં વધુ રિટર્ન મેળવવા પ્રયાસો કરી રહી છે. જેમાં અમુક આઉટલેયર છે, જેની સાથે આરબીઆઈ વાતચીત કરી રહી છે. ઘણી એનબીએફસી ઉંચા વ્યાજના દરે ધિરાણ પ્રદાન કરી રહી છે. જે ચિંતાનો વિષય છે. જેમાં આરબીઆઈના નીતિ-નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

Leave a Comment