ડુરાંડ લાઇન પરPak-Taliban વચ્ચે સંઘર્ષ તાલીબાનોને પાક. સેનાએ મારી નાખ્યા

1893માં તે સમયના અફઘાન શાસક અબ્દુલ રહેમાન ખાન અને બ્રિટિશ ઈંડીયા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આ લાઇન રચાઈ હતી

Taliban,તા.10

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે સામ-સામા ગોળીબારને પગલે તાલિબાનના ઓછામાં ઓછા ૮ આતંકીઓ માર્યા ગયા હતા. આ સંઘર્ષમાં બંને તરફ મળી ડઝનબંધથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન મીડીયા જણાવે છે કે, અફઘાનિસ્તાન તરફથી પિલવાસિન જિલ્લામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ વળતું આક્રમણ કરતાં ઓછામાં ઓછા ૮ તાલિબાનો માર્યા ગયા હતા. અનેક ઘાયલ પણ થયા હતા. જોકે બંને બાજુએ ઘણાને ઈજાઓ પણ થઈ હતી. આ સંઘર્ષમાં તાલિબાનના બે કમાન્ડર્સ જીન-મોહમ્મદ અને ખલીલ તે સંઘર્ષમાં માર્યા ગયા હતા.

પાકિસ્તાનની સેનાના પણ ઘણા સૈનિકો ઘવાયા હતા, જેમાં એક કેપ્ટનને પણ ઈજા થઈ હતી. મીડીયા રીપોર્ટ વધુમાં જણાવે છે કે છેલ્લા કેટલાએ દિવસોથી પાકિસ્તાન-તાલિબાન વચ્ચે ડુરાંડ લાઇન અંગે સામ-સામા ગોળીબાર થયા કરે છે. જોકે અફઘાન સેના કહે છે કે તેમાં તેનો કોઈ હાથ નથી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ આંકતી આ ડુરાંડ લાઇન અંગે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે સંધિ પણ થઈ હતી. પરંતુ કારઝાઈ સરકારના પતન પછી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું તેણે તે લાઇન સરહદ રેખા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. અફઘાનિસ્તાનની તેહરિક-એ-તાલિબાન સરકારે કહી દીધું છે કે, અંગ્રેજોએ રચલી તે લાઇન અમોને સ્વીકાર્ય નથી.વાસ્તવમાં ૧૮૯૩માં તે સમયના અફઘાનિસ્તાનના શાસક (અમીર) અબ્દુલ રહેમાન ખાન અને બ્રિટિશ ઈંડીયા વચ્ચે થયેલી સંધિ પ્રમાણે આ લાઇન રચવામાં આવી હતી તે લાઇન નિશ્ચિત કરનાર ઈજનેર ડુરાંડનાં નામ ઉપરથી તે ડુરાંડ-લાઇન કહેવાય છે તે ૨૬૦૦ કી.મી.થી પણ વધુ લંબાઈની છે.

Leave a Comment