Maa Jagdamba ની આરાધનાનું પર્વ નવરાત્રી

નમો દેવ્યૈ મહાદેવ્યૈ, શિવાયૈ સતતં નમ: ।

નમ: પ્રકૃતિ ભદ્રાયૈ, નિયતા પ્રણતા સ્મતામ્ ।।

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે : અષાઢ, આસો, માઘ અને ચૈત્ર

કેન ઊપનિષદમાં જગદંબાની આરાધનાને પરમસત્તા કહી છે. તેમાં ઊમા સ્વરૂપે શક્તિ અવતારની કથા અને આરાધના સાધનાનો ઊલ્લેખ જોવા મળે છે. વળી દાર્શનિક આધ્યાત્મિક ભાવોની સાથે શ્લોક – મંત્રો – સ્તુતિ વગેરે સાધનાનું વિદ્યાનપણ છે. જે ભાવિકો – આરાધકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવે છે. જેના ભાગરૂપે સ્વામી રામકૃષ્ણ પરમહંસની મહાકાલીની  ઊપાસનાથી શિષ્ય સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિથી સંપન્ન બનાવી મહામાનવોની પંક્તિમાં મુકી દીધા તેથી જ નવરાત્રી માં જગદંબાની સાધનાનો વિશિષ્ટ કાળ છે. નવરાત્રીમાં દુર્ગા સપ્તશતી (ચંડીપાઠ)માં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ મળે છે તેમાં લખાયું છે 

”યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ: ।।

આમ આસોમાસની નવરાત્રીમાં ભક્તો વિવિધ પ્રકારથી માંની આરાધના કરે છે. જેમાં અમાસે ઘટસ્થાપન કરી ઝવેરા વાવે છે. જગદંબાની મુર્તિ યા છબીને દરરોજ સ્નાન કરાવી સ્થાપન ઉપર બીરાજમાન કરી પંચોપચારપા સોડસોપચાર દ્વારા પુજન કરી અખંડ જ્યોત પ્રગટાવી સામે બેસી નવાર્ણ મંત્રની માળા કરવામાં આવે છે કોઈ ભક્તજનો સવાલક્ષજપ પણ કરે છે.

”ઓમ ઐમ રીમ્ ક્લિમ્ ચામુંડા વિચ્ચૈલ્લલ્લ આ મંત્ર અતી અદ્ભુત છે. દુર્ગાષ્ટમીના દિવસે હોમ કરી રીવાજ પ્રમાણે નૈવેદ્ય ધરાવી પ્રાર્થના, આરતી, પ્રસાદ, થાળ વિગેરે કરી સમાપન થાય છે. આમ કરવાથી માઁની અપાર કૃપા થાય છે.

Leave a Comment