ઘટનામાં એકનું મોત તો અન્ય ૪ ઈજાગ્રસ્ત થયા હતા
Amreli, તા.૭
અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ૫ મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૪ ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ ૫ મજૂરોના ઉપર પડી હતી. બોરીઓની નીચે દબાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક ( ઉં.વ. ૩૦ ) નામના મજૂરનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૪ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.