Site icon Shri Nutan Saurashtra

મારે મારી ઈચ્છા પ્રમાણે નહીં, Lord ની ઈચ્છા પ્રમાણે કરવાનું છે

એક સંત. અત્યંત પ્રભુભક્ત. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા જોરદાર. ગમે તેવી ઘટનામાં પણ તેમની શ્રદ્ધામાં હાનિ ના થાય. એકવાર તેઓ અનેક યાત્રિકો સાથે જહાજમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. સમુદ્રમાં મોજા જોર-જોરથી ઉછળવા લાગ્યા. મોજાનું પાણી ઉછળી-ઉછળીને જહાજમાં ભરાવા લાગ્યું. જહાજ ક્યારે ડુબી જશે તે કંઈ જ કહી શકાય તેવું ન હતું.

જહાજમાં બેસેલા સૌ યાત્રિકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! તું અમને બચાવી લે. અરે, જહાજમાં કેટલાક નાસ્તિકો પણ બેઠા હતા. તે પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ! મૃત્યુ સામે દેખાય ત્યારે તો સૌ ભગવાનને માનવા જ લાગે ને ! સંત એ વખતે પુસ્તકનું વાંચન કરી રહ્યા હતા. તોફાન આવ્યા પછી પણ તેઓ તો પોતાનાં વાંચનમાં જ ડૂબેલા હતા. જાણે તોફાનથી તેમને કોઈ ફરક જ ના પડયો હોય ! તેમને વાંચતા જોઈ આજુ-બાજુવાળાં અકળાવા લાગ્યા. એક યુવાને તો હિંમત કરીને કહી દીધું કે તમે સંત છો કે કોણ છો ? આટલું ભયંકર મરણાંત તોફાન આવ્યું છે, છતાં તમે તમારાં પુસ્તકમાં પાગલ થઈને બેઠા છો. હવે પુસ્તક બાજુમાં મૂકી પ્રાર્થના કરો પ્રાર્થના ! સંત છો છતાં પ્રાર્થના કરતા નથી !

તેમણે સહજ સ્મિત સાથે યાત્રિકોને કહ્યું ઃ ‘હું પ્રાર્થના એટલા જ માટે નથી કરતો, કારણ કે હું સંત છું. મારો દ્રષ્ટિકોણ તમે સમજો. હું તો એ વિચારું છું કે પ્રભુ જે ઈચ્છતા હશે, તેવું હું કરીશ. અર્થાત્ અત્યારે પ્રભુ મને ડૂબાડવા માંગતા હશે તો હું તૈયાર છું. હું શા માટે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઉ ? અને તેને બચાવવો હશે તો તે જાતે જ તોફાન સંહરી લેશે. પછી હું શા માટે પ્રાર્થના કરું ? અને સૌથી મહત્વની વાત તો આ છે કે મારે ઉપરવાળાની નહીં, પરંતુ મારી ઈચ્છા છે, એટલે જીવવું છે. અર્થાત્ મારી ઈચ્છા પ્રમાણે પ્રભુએ કરવાનું હોય તો હું પ્રાર્થના કરું ? અન્યથા શા માટે કરું. મારે તો ઉપરવાળો જે કરે તે મને મંજૂર છે. એટલે જ હું પ્રાર્થના નથી કરતો.લ્લ સંતનું મગજમાં ન બેસે તેવું રહસ્ય સાંભળી સૌ યાત્રિકો અવાક થઈ ગયા.

 

Exit mobile version