Rajkot, તા૩૦
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા. ૧૭/૯/૨૦૨૪થી તા. ૨/૧૦/૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મનપાની ગાર્ડન શખા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત આઈ.ઈ.સી. એકટીવિટીના ભાગરૂપે ‘રિડ્યુઝ, રિયુઝ, રિસાયકલ’ના સિદ્ધાંતને આગળ વધારવા માટેનો કેમ્પ ગઈકાલ તા. ૨૯મીના રોજ ત્રણ સ્થળે રાખવામાં આવ્યો હતો.
જે સ્થળે ‘આરઆરઆર’ સેન્ટરનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં વોર્ડ નં. ૨માં આવેલ દંતોપંત થેંકડી પુસ્તકાલય, વોર્ડ નં. ૨ વોર્ડ ઓફિસની બાજુમાં, શારદાબાગ પાસે, શ્રોફ રોડ ખાતે આયોજીત આરઆરઆર સેન્ટરમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે. મેયર નરેન્દ્રસિંહ, મુકેશ દોશી સહિત સંગઠનની ટીમ તથા રાજકોટ મનપાના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, ત્રાંસિયો રોડ, પેડક રોડ ખાતે અને વેસ્ટ ઝોનમાં બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલય, પેરેડાઈઝ હોલ સામે, ચંદનપાર્ક મેઈન રોડ ખાતે ‘આરઆરઆર’ સેન્ટર કાર્યક્રમ યોજાયેલ. જેમાં સંગઠનની ટીમ તથા રાજકોટ મનપાના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જ્યારે સેન્ટ્રલ ઝોનમાં કલેકટર કચેરી પાર્કિંગ ખાતે ‘સૌની દિવાલ (પ્રેમનો પટારો) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોર્પોરેટરો, સંગઠનની ટીમ અને રાજકોટ મનપાના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.