ભારતના વિદેશ મંત્રીએ President Muizhu સાથે મુલાકાત કરી, સુરક્ષા સંબંધો પર વાતચીત

New Delhi,તા.૧૦

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે છે. શનિવારે ડૉ. એસ. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના લોકોને ફાયદો થશે. ગયા વર્ષે મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળ્યા બાદ મને ગર્વની લાગણી થાય છે. બેઠક દરમિયાન, બંને દેશોના લોકોના કલ્યાણ માટે પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

અગાઉ ડૉ. એસ. જયશંકરે માલદીવના સંરક્ષણ પ્રધાન ઈસાન મૌમૂન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા થઈ હતી. આ સિવાય બંને દેશોએ દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પરસ્પર હિતો વહેંચી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર, ડૉ. જયશંકરે લખ્યું, ’માલદીવના સંરક્ષણ પ્રધાન ઘસાન મૌમૂન સાથે ખૂબ સારી મુલાકાત થઈ. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા થઈ હતી. આ સમયગાળા દરમિયાન, દરિયાઈ સુરક્ષા અંગે પહેલ કરવામાં આવી હતી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પરસ્પર હિતો વહેંચવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે માલદીવમાં ચીનની હાજરી વધી રહી છે. ગયા વર્ષે મોહમ્મદ મુઇઝુના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ માલદીવ અને ચીન વચ્ચે સૈન્ય સહયોગ વધી રહ્યો છે. ચીનનું અત્યાધુનિક સંશોધન જહાજ માલદીવના બંદરમાં ડોક કરવામાં આવ્યું છે. આ સિવાય ચીન અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

 

Leave a Comment