Site icon Shri Nutan Saurashtra

Chandipura virus વધાર્યું ટેન્શન, સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું મોત

Surendranagar,તા.01

ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાટણમાં 7 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત થયા છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત હજુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને તાવ આવતાં ખાનગી હૉસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Exit mobile version