દર્શકોને સ્ટાર્સ નહિ વાર્તા અને ચિત્રણમાં રસ
અજયની ઔરો મેં કહાં દમ થા અને જાહ્વવીની ઉલઝને પાંચ કરોડના પણ ફાંફા
Mumbai,તા.06
રયાન રેનોલ્ડસ અને હ્યૂ જેકમેનની ‘ડેડપૂલ એન્ડ વુલ્વરિન’ હાલમાં જ ભારતમા ંરિલીઝ થઇ છે. જેણે એક અઠવાડિયા પછી ૧૦૬. ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.બીજી તરફ તેની સાથે જ રજૂ થયેલી અજય દેવગણ અને તબુની ‘ઔરો મેં કહાં દમ થા’ અને જાહ્વવીની ‘ઉલઝ’ને પાંચ કરોડનું કલેક્શન કરવામાં પણ નાકે દમ આવી ગયો છે.
‘ડેડપૂલ એન્ડ વુલ્વરિન’ ફિલ્મની સફળતાનો પૂરો આધાર, ફિલ્મની મનોરંજક વાર્તા, મજાકિયા સંવાદ અને ઉત્તમ અભિનય છે. વૂલ્વરિનનુપ્પાત્ર ભારતીય દર્શકોને પ્રભાવિત કરી ગયું છે. ઘણા દર્શકોએ પારંપારિક સુપર હીરો કથાના નવા રૂપની પ્રશંસા કરી છે. ડાર્ક હ્યુમર, એક્શન દૃશ્યો તથા રેનાલ્ડ અને જેકમેનની કેમિસ્ટ્રીના કારણે ફિલ્મ સફળ થઈ છે. આ ફિલ્મની સફળતાએ પુરવાર કર્યું છે કે લોકોને સ્ટાર્સમાં નહીં પરંતુ સારી વાર્તા બહુ સારી રીતે કહેવાઈ હોય તેમાં રસ છે. અજય દેવગણ તથા તબુની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ તો ૨૦૨૪ની સૌથી ફલોપ ફિલ્મોમાં સ્થાન પામી છે. બે જ દિવસમાં આ ફિલ્મના અનેક શો પ્રેક્ષકોને અભાવે કેન્સલ કરવા પડયા હોય તેવી નોબત આવી છે.