Site icon Shri Nutan Saurashtra

‘તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે…’, વક્ફ બિલ પરAsaduddin Owaisi નું સરકાર પર નિશાન

New Delhi, તા.08

વક્ફ બોર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતાં અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે. મંદિરોની સમિતિઓમાં કોઈ બિન-હિંદુ નથી. પછી વક્ફ સંપત્તિમાં તેની શું જરૂર છે. આવું જ તમારી સરકાર ખ્રિસ્તીઓ અને શિખોની સાથે પણ કરી રહી છે.

યુપીની સહારનપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઈમરાન મસૂદે કહ્યું કે સરકાર તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે વક્ફ બોર્ડ સંસ્થા છે અને આ કોઈ ધાર્મિક સ્થળ નથી. આ વાત ખોટી છે કેમ કે દેશમાં વક્ફ બોર્ડ જ મસ્જિદો, દરગાહો અને અન્ય મુસ્લિમ સંસ્થાની દેખરેખ કરે છે. તેમની સંપત્તિઓની સારસંભાળ રાખે છે. તેથી આને મુસ્લિમોની ધાર્મિક બાબતોથી અલગ દર્શાવી શકાય નહીં.

હાર્યા છીએ, તેથી આવું બિલ લઈ આવ્યા

આ ચર્ચામાં અખિલેશ યાદવે પણ ભાગ લીધો અને કહ્યું કે વક્ફ બોર્ડમાં કોઈ બિન-મુસ્લિમને સામેલ કરવાનું કારણ શું છે. જો આપણે જિલ્લાધિકારીને જ બધું સોંપી દઈએ તો શું થઈ શકે છે. તમે તેને સમજી શકો છો. એક સ્થળે આવું થયુ હતું અને પછી જિલ્લાધિકારીએ શું કર્યું, તમે સૌ જાણો છો. આ બિલ એટલા માટે લવાઈ રહ્યું છે કેમ કે તાજેતરમાં જ આ લોકો હાર્યા છે. પોતાના અમુક કટ્ટર સમર્થકોના તુષ્ટિકરણ માટે આવું બિલ લાવવામાં આવી રહ્યું છે. આ બિલનો ડીએમકે, ટીએમસી, શરદ પવારની એનસીપી જેવી પાર્ટીઓએ પણ વિરોધ કર્યો છે.

Exit mobile version