Site icon Shri Nutan Saurashtra

Vadodara ની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, 11 ફૂટ લેવલ ઘટ્યું

Vadodara,તા.30 

વડોદરામાં વિનાશ વેરનાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ગુરૂવારની વહેલી સવારથી ઘટવા શરૂ થયા છે, અત્યાર સુધીમાં આશરે 11 ફૂટ પાણી ઘટી જતા મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીની સપાટી ગઈકાલ સવાર સુધી 35.25 ફૂટ હતી. જે આજે સવારે 11:00 વાગે ઘટીને 24.20 ફૂટે પહોંચી હતી.

આમ, વરસાદ થંભી જતા અને આજવાનું પાણી પણ બંધ રહેતા વિશ્વામિત્રીના લેવલમાં ઝડપભેર ઘટાડો થવાના કારણે શહેરમાં પુર બાદ જનજીવન ગઈકાલથી ધીમે ધીમે ધબકતું થયું છે. વિશ્વામિત્રીની સાથે-સાથે આજવા સરોવરમાં પણ ગઈકાલ બપોરથી ઘટાડો થયો છે. આજે સવારે 11:00 વાગે આજવાની સપાટી 213.70 ફૂટ હતી. આજવા સરોવરમાં સપાટી ચાર દિવસ અગાઉ 214.85 ફૂટે પહોંચી જતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું અને આજવા અને તેના ઉપર વાસ પ્રતાપપુરા સરોવરમાંથી ધરખમ પાણી છોડવાનો વારો આવ્યો હતો. જેના લીધે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું. તંત્ર દ્વારા ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને આજવા સરોવરના દરવાજા 213.65 ફૂટે બંધ કર્યા હતા અને આજવાની આવક બંધ થતા વિશ્વામિત્રીનું લેવલ ઝડપથી ઘટ્યું હતું.

Exit mobile version