Site icon Shri Nutan Saurashtra

Vinchiya માં ગેરેજ સંચાલકને પાંચ હજારના ડબલ રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરની ધમકી

ચોટીલા પંથકના ભાભલુએ વ્યાજના પાંચ હજારની પઠાણી ઉઘરાણી કરી: વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

RAJKOT, તા.23
વિંછીયામાં ગેરેજ સંચાલકને પાંચ હજારના ડબલ રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરે ધમકી આપતાં વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે વિંછીયા ખોડીયારપરામાં રહેતાં જયેશભાઇ ભનુભાઈ મકવાણા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાભલુભાઈ (રહે. આણંદપૂર,ચોટીલા) નું નામ આપતા વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, તેઓ વિંછીયા જુના બસ્ટેન્ડ પાસે ક્ધયા શાળાની બાજુમા ગેરેજ ચલાવે છે અને સાથે ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. પાંચેક મહિના પહેલા ભાભલુભાઈ કાઠી  ગેરેજે આવેલ અને તેમના બાઇકની ચેઇન ટુટી ગયેલ હતી જેથી ચેઇન રીપેર કરાવવા માટે આવેલ હતા. ત્યાર બાદ અવાર નવાર ગેરેજે આવતા હતા.  ભાભલુભાઇ સાથે ઓળખાણ થઇ ગયેલ અને રૂપીયાની જરૂર હોય જેથી ભાભલુભાઈ પાસે ઉછીના રૂપીયા માગતા કહેલ કે, હુ તમને દર મહિનાના 5 ટકા લેખે વ્યાજે રૂપીયા આપુ તેમ જણાવેલ અને ફરિયાદીની રૂપીયાની જરૂર હો ય જેથી મે ભાભલુ પાસેથી 5 હજાર રૂપીયા વ્યાજે લીધેલ હતા. દર મહિને તેમને 250 રૂપીયા વ્યાજ ચુકવતો હતો.

તેમની પાસેથી વ્યાજે લીધેલ રૂપીયા બે મહિના પહેલા પરત આપી દીધેલ તેમ છતા તે રૂ.5 હજાર અને છેલ્લા બે મહિનાનુ વ્યાજ માગે છે. અવાર નવાર વ્યાજે આપેલ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી કહેલ કે, તારે જે કરવુ હોય તે કર મને મારા રૂ. 5000 અને તેનુ આજ સુધી વ્યાજ આપી દેજે નહીતર વ્યાજ ચડતુ જાશે અને જો મારા રૂપીયા પાછા નહી આપ તો સારાવાટ નહી રે તેમ કહી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Exit mobile version