રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા Two terrorists ઓ માર્યા ગયા

ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે

Jammu and Kashmir, તા.૯

ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા, જેના પછી એલઓસી પર એલર્ટ કરવામાં આવ્યું હતું.આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં બે એકે-૪૭ રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ પહેલા ૩૦ ઓગસ્ટે પણ ભારતીય સેનાના જવાનોએ ચૂંટણી પહેલા એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૩ આતંકીઓને ઠાર કર્યા હતા.તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકો પર મતદાન માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે તેમની સરકારને પાંચ વર્ષ માટે પસંદ કરવા માટે મતદાન કરશે. સુરક્ષા સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં ૨૪ બેઠકો પર, બીજા તબક્કામાં ૨૬ બેઠકો અને ત્રીજા તબક્કામાં ૪૦ બેઠકો પર મતદાન થવાનું છે.

Leave a Comment