Swati Maliwal અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો

New Delhi,તા.૪

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું અને લ્યુટિયન્સ દિલ્હીમાં તેમની પાર્ટીના રાજ્યસભા સાંસદના બંગલામાં શિફ્ટ થઈ ગયા. આના પર આમ આદમી પાર્ટીના બળવાખોર રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

સ્વાતિ માલીવાલે એક્સ હેન્ડલ પર ટિ્‌વટ કરીને લખ્યું, ‘એક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ હતા, જેમણે મહેલ છોડીને ૧૪ વર્ષ જંગલમાં વિતાવ્યા હતા. સ્ત્રીઓના સન્માન માટે રાવણ જેવા શક્તિશાળી રાક્ષસ સામે લડ્યા. આજકાલ જે લોકો પોતાની સરખામણી ભગવાન શ્રી રામ સાથે કરે છે, તેઓ એક મહેલ છોડીને બીજા મહેલમાં રહેવા જાય છે અને તેને મહાન ત્યાગ કહે છે. ભ્રમ પાછળ આદર્શો વિસરાઈ જાય છે. તેઓ મહિલાઓ પર હુમલો કરનાર વ્યક્તિને બચાવે છે, તેમાં જ તેમને સુકુન મળે છે, હે રામ!’

ઉલ્લેખનીય છે કે કેજરીવાલ જ્યાં રહે છે તે બંગલો ફિરોઝશાહ રોડ પર મંડી હાઉસ પાસે છે અને તે પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલનું સત્તાવાર નિવાસસ્થાન છે.

આ બંગલો આમ આદમી પાર્ટીના મુખ્યાલયની ખૂબ નજીક છે. હવે કેજરીવાલ તેમના પરિવાર સાથે આ બંગલામાં રહેશે.

ગુરુવારે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રાજેન્દ્ર પ્રસાદ રોડ પર સ્થિત બંગલામાં શિફ્ટ થયા હતા. પાર્ટીના નેતાઓએ કહ્યું કે આ ઘરAAPના રાજ્યસભા સાંસદ હરભજન સિંહનું સત્તાવાર નિવાસસ્થાન છે. કેજરીવાલને ઉત્તર દિલ્હીની સિવિલ લાઇન્સમાં ૬, ફ્લેગસ્ટાફ રોડ છોડવાનો નિર્ણય કર્યા પછી સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો સહિત પક્ષના કેટલાક નેતાઓએ તેમના ઘરની ઓફર કરી હતી.

એક વીડિયો સંદેશમાં છછઁ સાંસદ મિત્તલે કહ્યું કે તેઓ એ જાણીને ખુશ છે કે કેજરીવાલે તેમનું ઘર પસંદ કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે (કેજરીવાલે) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે મને ખબર પડી કે તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. મેં તેમને મારા દિલ્હી નિવાસસ્થાને મારા મહેમાન બનવા આમંત્રણ આપ્યું અને મને ખૂબ આનંદ થયો કે તેમણે મારી વિનંતી સ્વીકારી.

 

Leave a Comment