Site icon Shri Nutan Saurashtra

T20 માં Suryakumar Yadav ભારત માટે સૌથી વધુ છગ્ગા મારનાર બીજો બેટર બન્યો

સૂર્યકુમાર યાદવે ૨ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા

New Delhi, તા.૭

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી T20 મેચમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ ૧૨૭ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સુર્યાકૂમાર યાદવે ૧૪ બોલ પર ૨૯ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યકુમારે ૨ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ દ્વારા તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

T20માં સૂર્યકુમાર યાદવ ભારત માટે સૌથી વધુ છગ્ગા મારનાર બીજો બેટર બની ગયો છે. અત્યાર સુધીમાં સૂર્યકુમારે T20માં ૧૩૯ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે જોસ બટલર અને મૈક્સવેલને પાછળ છોડી દીધા છે. ભારત માટે રોહિત શર્મા T20માં ૨૦૫ છગ્ગા મારીને પહેલા સ્થાન પર છે. બીજા સ્થાન પર માર્ટીન ગુપ્ટિલ છે, જેને ૧૭૩ છગ્ગા માર્યા હતા. આ સિવાય નિકોલસ પૂરન અત્યાર સુધીમાં T20માં ૧૪૪ છગ્ગા મારી ચૂક્યો છે.

T20માં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી

૨૦૫ – રોહિત શર્મા

૧૭૩ – માર્ટિન ગુપ્ટિલ

૧૪૪ – નિકોલસ પૂરન

૧૩૯ – સૂર્યકુમાર યાદવ

૧૩૭ – જોસ બટલર

૧૩૪ – ગ્લેન મેક્સવેલ

આ સિવાય ઓવરઓલ ટીમમાં સૂર્યાકુમાર યાદવ સૌથી વધુ છગ્ગા મારનાર ભારતનો ચોથો બેટર બની ગયો છે. T20 માં સૂર્યાકુમાર અત્યાર સુધીમાં ૩૨૮ છગ્ગા મારી ચૂક્યો છે. તેણે આવું કરીને સુરેશ રૈનાને પાછળ છોડી દીધો હતો. રૈનાએ પોતાની T20 કારકિર્દી દરમિયાન ૩૨૫ છગ્ગા માર્યા હતા. હવે આ સીરિઝની બીજી મેચ ૯ ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

T20માં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી

૫૨૫ – રોહિત શર્મા

૪૧૬ – વિરાટ કોહલી

૩૩૮ – એમએસ ધોની

૩૨૮ – સૂર્યકુમાર યાદવ

૩૨૫ – સુરેશ રૈના

૩૧૧ – કેએલ રાહુલ

૩૦૨ – સંજુ સેમસન

 

Exit mobile version