Site icon Shri Nutan Saurashtra

‘આદેશનું ઉલ્લંઘન કર્યું હશે તો જેલભેગા કરીશું..’, Somnath માં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

Gir Somnath,તા.04

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મોટા મેગા ડિમોલિશનની કામગીરીનો મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘જો અમારા આદેશનું ઉલ્લંઘન કરશો તો દોષિત અધિકારીઓને જેલભેગા કરીશું.’ કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે. આ ઉપરાંત કોર્ટે દરગાહ સહિત અનેક ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝ ફેરવવાની કાર્યવાહી અંગે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 16મી ઓક્ટોબરે હાથ ધરશે.

અવમાનનાની અરજી શા માટે દાખલ કરવામાં આવી?

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું કે, ‘આ કેસ વર્ષ 2003થી ચાલી રહ્યો છે.’ મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણાં બાંધકામોના કથિત ગેરકાયદે તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.’

સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના 17મી સપ્ટેમ્બરના આદેશની અનાદર કરવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જેમાં તેની પૂર્વ પરવાનગી વિના ધાર્મિક પર બુલડોઝરની કર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેનો આદેશ ન તો જાહેર સ્થળો પર સ્થિત ગેરકાયદે બાંધકામો જેમ કે રસ્તાઓ, ફૂટપાથ અથવા જળાશયો પર લાગુ થશે કે ન તો કોર્ટ દ્વારા તોડી પાડવા માટે આદેશ આપવામાં આવેલા બાંધકામોને લાગુ પડશે.અરજદારના વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ ગુજરાત સરકારના અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે, ’28મી સપ્ટેમ્બરે પ્રભાસ પાટણમાં કોઈપણ પૂર્વ સૂચના અથવા સુનાવણીની તક આપ્યા વિના અનેક મહત્વપૂર્ણ મુસ્લિમ ધાર્મિક સ્થળોને ગેરકાયદે રીતે તોડી પાડ્યા હતા.’

Exit mobile version