Site icon Shri Nutan Saurashtra

Rajkot માં પિતાએ ગરબી જોવા જવાની ના પાડતા યુવાનનો આપધાત

વાલ્મિકીવાડી આવાસ એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની , છ મહિના પહેલા જ લગ્ન થયાં તાં
Rajkot,તા.૮
શહેરના જામનગર રોડ વાલ્મિકીવાડી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં  વિનય બારૈયા નામના યુવકને તેના પિતાએ ગરબી જોવા જવાનું ના પાડતાં જેનુ મનમાં  લાગી આવતાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને હજુ છ મહિના પહેલા જ લગ્ન થયાં હતાં.બનાવ પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ વાલ્મિકીવાડી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં વિનયભાઈ ભીખુભાઈ બારૈયા (ઉ.વ.૨૩) નામનાં યુવકે આજે સવારે ૧૦ વાગ્યાના આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતાં તુરંત દોડી ગયા હતા. અને યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે આજે સવારે વિનયે ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારના દસ વાગ્યા સુધી રૂમમાંથી બહાર ન આવતાં તેના બહેન અને પત્નિએ સતત દરવાજો ખખડાવ્યો હતો છતાં દરવાજો ન ખોલતાં પરિવારના સભ્યોએ દરવાજો તોડીને રૂમમાં અંદર જોતાં વિનય લાકડાની આડીયાં ચુદડી બાંધી લટકેલી હાલતમાં હતો. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં મૃત જાહેર કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે વિનયને રાતે મોડે સુધી ગરબીમાં જવાની ના પાડી હોય અને વહેલા ઘરે આવી જવાનું બાબતે ઠપકો આપતાં   લાગી આવતા યુવકે આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક વિનયભાઈ બે બહેનનો એકનો એક નાનો ભાઈ અને માતા-પિતાનો એક જ દિકરો હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. વિનયભાઈ છુટક કામ કરતો હતો. હાલમાં કામે જતો ન હોતો. તેના લગ્ન છ મહિના પહેલા જ જામનગરમાં દક્ષા નામની યુવતિ સાથે થયા હતાં. વિનયભાઈના પત્નિ હાલ સગર્ભા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Exit mobile version