Surat: વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડશે ૨૫૦૦ થી ૧૦ હજાર સુધીનો દંડ

Surat, તા.૨૧

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડશે તો વિદ્યાર્થીને ૨૫૦૦ થી શરુ કરીને ૧૦ હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા માટે ૧૨૦ સભ્યોની કૂલ ૧૮ ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે ૨૦૦ કરતા વધારે યુનિવર્સીટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે.

કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે ૧૨૦ સભ્યોની કુલ ૧૮ ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે ૨૦૦ કરતા વધુ પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતી અંગે તપાસ કરશે અને આ અંગે જે કઈ ગેરરીતી પકડાશે તે ઓનલાઈન માધ્યમથી તરત જ યુનિવર્સીટીને જાણ કરશે.

આ ઉપરાંત યુનિવર્સીટી પોતાના તમામ ૨૦૦ સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે. જેથી પ્રશ્નપત્ર ખોલવા, સ્વીકારવા, ઉતરવહીના બંડલો આ પ્રકારની સંવેદનશીલ બાબતોનું રેકોર્ડિંગ થશે. સ્ટ્રોંગ રૂમ પર ૨૪ કલાક કેમેરા રહેશે અને તેનું રેકોર્ડિંગ પણ શરુ રહેશે.

તેમજ જેટલા પણ પરીક્ષા ખંડો છે, તેનું લાઈવ નિરીક્ષણ પણ કરવામાં આવશે. જેથી તેની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડશે તો વિદ્યાર્થીને ૨૫૦૦ થી શરુ કરીને ૧૦ હજારથી પણ વધુના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે તેઓ ગેરરીતીથી દુર રહે.

Leave a Comment