Site icon Shri Nutan Saurashtra

RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્

New Delhi,તા,09

ભારતીય રિઝર્વ બેંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Resuts) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ (રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

6માંથી 5 સભ્યોએ આપી સહમતિ

આરબીઆઈ ગવર્નરે 7મી ઓક્ટોબરથી શરૂ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઓફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પુરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

ઈએમઆઈ પર શું અસર

આરબીઆઈ દ્વારા રેપોરેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઈમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય.   બેન્કો આબીઆઈ પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતો ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.

Exit mobile version