Site icon Shri Nutan Saurashtra

RBIએ NBFC પાસેથી લોન અને વ્યાજ દરો વિશે માહિતી મંગાવી

Mumbai,તા.17

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પસંદગીની નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ પાસેથી તેમની લોન વિશેની તમામ મૂળભૂત માહિતી માંગી છે. આ માહિતી બાકી લોનના પ્રકાર અને તેના પર વસૂલવામાં આવતા વાર્ષિક વ્યાજ સાથે સંબંધિત છે. આરબીઆઈને આશંકા છે કે વાર્ષિક વ્યાજ દરો ૧૦ ટકાથી ઓછામાંથી અમુક કિસ્સામાં ૪૦-૫૦ ટકા અને ૫૦ ટકાથી પણ વધુ હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આરબીઆઈ જાણવા માંગે છે કે આ કંપનીઓ દ્વારા વિવિધિ શ્રેણીમાં આપવામાં આવતી લોન યોગ્ય રીતે આપવામાં આવી રહી છે કે નહીં અને તેના કારણે ડેટ બબલ સર્જાઈ રહ્યો છે કે કેમ. આરબીઆઈનો તપાસનો એક પહેલું એ પણ છે કે જો ઉંચા વ્યાજદરો વસૂલવામાં આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે યોગ્ય પ્રક્રિયાનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ગત વર્ષે નવેમ્બરમાં આરબીઆઈએ તાબા હેઠળની સંસ્થાઓને ગ્રાહકોને આપવામાં આવેલી લોન અને વિવિધ શ્રેણીઓ માટે મંજૂર મર્યાદાઓ અંગેના ચોક્કસ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ માટે આરબીઆઈએ ૨૯ ફેબુ્રઆરી ૨૦૨૪ની સમયમર્યાદા નક્કી કરી હતી. જૂન ૨૦૨૪ના નાણાકીય સ્થિરતા અહેવાલમાં ગ્રાહક લોન સેગમેન્ટ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર રૂ. ૫૦,૦૦૦થી ઓછી લોન લેનારાઓમાં લોન ડિફોલ્ટનું સ્તર ઘણું ઊંચું છે. એનબીએફસી-ફિનટેક કંપનીઓ દ્વારા જ તેમાંની મોટાભાગની લોન આપવામાં આવી છે અને ડિફોલ્ટનું લેવલ પણ આ કંપનીઓનું જ સૌથી વધુ છે પરંતુ આ કંપનીઓનો લોન નોન પેમેન્ટ રેટ પણ ઊંચો છે અને સ્મોલ ફાઇનાન્સ બેંકો બાદ નોન પેમેન્ટમાં બીજા ક્રમે છે.

તદુપરાંત નાની લોન સેગમેન્ટમાં અડધાથી વધુ ઋણ લેનારાઓ પાસે એક જ સમયે તેમના ખાતામાં ત્રણથી વધુ લોન છે અને એક તૃતીયાંશથી વધુ ણ લેનારાઓએ છેલ્લા છ મહિનામાં ત્રણથી વધુ લોન લીધી છે.

આરબીઆઈની આ વિગતવાર માહિતીની તપાસથી એનબીએફસી દ્વારા આપવામાં આવેલી લોનમાં વધુ ઘટાડો થઈ શકે છે. એનબીએફસી માટે બેંકોની ધિરાણ પણ નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ કવાર્ટરમાં રૂ. ૭૫ અબજ હતી, જે વર્ષે અગાઉ રૂ. ૯૨ અબજ હતી.

Exit mobile version