Site icon Shri Nutan Saurashtra

Rajkot:લૂંટ વિથ હુમલા ના ગુનામાં રમીજ કેસડીયા જામીન મુક્ત

શાસ્ત્રીનગર પાસે બાઈક  પર ત્રણ અજાણ્યા શખ્સે  રીક્ષા રોકી ઝગડો કરી માર મારી છરીથી ઇજા કરી મોબાઈલ અને રોકડા  ત્રણ હજારની લૂંટ ચલાવી તી
Rajkot,તા.૩૦
મોબાઈલ – રોકડની લૂંટ કરી છરીથી ઇજા કર્યાના ગુનામાં આરોપી રમીજ ઈમરાનભાઈ જેસડીયા જામીન મુક્ત થયેલ છે.
કેસની વિગત મુજબ, મવડી મેઇન રોડ નજીક આવેલ ઉદયનગરમાં રહેતા કેતન રાઘવજીભાઈ ગોહેલ  રીક્ષા લઈને પોતાના જૂના ગ્રાહક ઈકબાલભાઈ જે ભીમનગર સર્કલ પાસે આંબેડકરનગર વાળી શેરીમાં રહેતા હોય ત્યાંથી કપડાના પોટલ ભરી લક્ષ્મીનગર મેં રોડ જી. ઈ. બી. ઓફીસની સામે મંગળવારી ભરાતી હોય ત્યાં ફેરો કરવા જવાના હોય, શાસ્ત્રીનગર પાસે પહોંચતા ત્રણ અજાણ્યા ઈસમો મોટર સાયકલ લઈને આવેલ અને રીક્ષા રોકી ફરીયાદીને બંને બાજુથી ધેરી લઈને અને ઝગડો કરી ઝાપટ મારેલ. ગળે રાખી ઇજા કરી મોબાઈલ તથા રોકડા રૂપીયા ત્રણ હજારની લૂંટ કરી હતી. ગુનો નોંધાતા ત્રણેય આરોપીની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કરેલ. ચાર્જશીટ થઈ જતા આરોપી રમીજ ઈમરાનભાઈ જેસડીયા (રહે. રાજકોટ)એ પોતાના  એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા રાજકોટ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટના રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી. ઝાલા તેમજ મીતેશ એચ. ચાનપુરા  રોકાયેલ હતા.
Exit mobile version