Rajkotના કોઠારીયા સોલવન્ટની પરિણીતાને એસટી બસે ઠોકરે લેતા કમકમાટીભર્યું મોત

સાપર ખાતે મજુરી કામ અર્થે જતા મરિયમબેનને એક બસે ફંગોળ્યા બાદ બીજી બસનું ટાયર માથે ફરી વળ્યું

Rajkot,, તા.૨૯
રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં  આવેલા રસુલપરામાં રહેતા પ્રૌઢા નોકરી ઉપર જતા હતા,ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ એસટી બસના ચાલકે ઉલાળતા પ્રૌઢા ફંગોળાઈને સામેની સાઈડથી આવતી એસટી બસ નીચે ચગદાઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારીયા સોલ્વન્ટમાં આવેલા રસુલપરામાં રહેતા મરીયમબેન હનીફભાઈ મકરાણી નામના પ્રૌઢાનું રાજકોટથી શાપર વેરાવળ કામ કરવા જતી વેળાએ ગોંડલ રોડ પર આવેલ રસુલપરાના ગેઈટ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે શાપર તરફથી આવતી જી.જે.18 ઝેડ. 4963 નંબરની એસટી બસના ચાલકે પ્રૌઢાને ઠોકરે લેતાં સામેની સાઈડમાં ફંગોળાઈ ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે. 7 વાય.ઝેડ. 6433 નંબરની એસટી બસના તોતિંગ ટાયર પ્રૌઢાની માથે ફરી વળતા માથું ચગદાઈ જતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ છે.બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Leave a Comment