Site icon Shri Nutan Saurashtra

Rajkot માં બે યુવાનોએ ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

બંને યુવાનોના આપઘાત પાછળનું કારણ અકબંધ

Rajkot,તા.૧૨
શહેરમાં આપઘાતનો દોર યથાવત ચાલી રહ્યો છે ત્યારે વધુ બે યુવાનોએ પોતાના ઘરે અકકડ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પરિવારમાં શોક છવાયો
  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રૂખડિયા ફાટક સામે રહેતા રમેશભાઈ રઘુભાઇ દૂધકિયા ઉવ 42 વાળાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરડું બાંધી ગળેફાસો ખાઈ લેતા પરિવારને જાણ થતા 108 ને જાણ કરી હતી 108ના emt રાજેશ પાલીયાએ રમેશભાઈને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા.
    જયારે બીજા બનાવમાં સ્લ્મ ક્વાટર્સ રામાપીરના મંદિર પાસે રહેતા ચંદ્રકાન્ત ઠાકરશીભાઈ વાડોદરા ઉવ 29 વાળા સાંજના 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અક્ક્ડ કારણોસર પંખાના હુક સાથે ચૂંદડી બાંધીને ગળે ફાસો ખાઈ જતા પરિવારના સભ્યોએ 108ને જાણ કરતા 108ના emt મયુરભાઈ ચૌહાણે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બન્ને મૃતકના આપઘાતનું કારણ અકબંધ  છે.
Exit mobile version