Site icon Shri Nutan Saurashtra

Rajkotમાં પતિએ માવતરે જવાની ના પાડતા પરિણીતાએ દવા પીધી

જીવાંતિકાનગરમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

Rajkot,તા.૨૦
 શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં બે મહિલાઓએ બીમારીની વધુ પડતી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં ૨ માં બંધ શેરીમાં રહેતા ભાવનાબેન દીપકભાઈ મર્દનીયા (ઉં.વ.34) નામના પરિણીતાએ બીમારીની વધુ પડતી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાએ પતિ સાથેની માથાકૂટથી કંટાળીને પગલું ભર્યું હતું.પતિએ રાણાવાવ માવતરે જવાની ના કહેતા પરિણીતાએ શરદી ઉધરસની દવાની બોટલ ગટગટાવી લેતાં તેને અર્ધબેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી.પરિણીતાને સંતાનમાં છ વર્ષનો બાળક છે.પોલીસે બનાવની વધુ તપાસ હાથધરી છે.જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં જીવાંતિકાનગર ૧ માં રહેતા કશિશબેન ગૌરવભાઈ રાઠોડ (ઉં.વ.33) નામના મહિલાએ અગમ્ય કારણસર બીમારીની વધુ પડતી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાઈ હતી.
Exit mobile version