Site icon Shri Nutan Saurashtra

Rajkot ની Lok Adalat માં અકસ્માતના ૪૦ કેસમાં રૂા.૩ કરોડનું વળતર મંજુર

ડીસ્ટ્રીકટ  કોર્ટ ખાતે યોજાયેલી લોક-અદાલતમાં અલગ અલગ કેસ મૂક્યા હતા
Rajkot,તા.05
રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી લોક-અદાલતમાં જુદા-જુદા ૪૦ કેસમાં રૂા.૩ કરોડનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું  છે.
રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કેસો મુકવામાં આવ્યા હતા. જે કલેઈમ કેસો પૈકી સાયલા ગામના અશોકભાઈ બહાદુરભાઈ નાંદોલીયાના કલેઈમ કેસમાં રૂા.૨૫ લાખ, ઉપલેટાનાં ખાખીજાળીયામાં ખેતમજુર તરીકે કામ કરતાં કૈલાશ ભાબોરનાં કલેઈમ કેસમાં રૂ.૨૦ લાખ, ઉના તાલુકાના મોટા ડેસર ગામના મુકેશભાઈ ડાયાભાઈ પરમારનાં કલેઈમ કેસમાં રૂા.૧૭.૭૫ લાખ, ચુડા તાલુકાના ભાણેજડા ગામના ગોવિંદભાઈ ખીમાભાઈ બારૈયાનાં કોઈમ કેસમાં રૂ.૧૫.૫૦ લાખ,  જસદણનાં અજયભાઈ વલ્લભભાઈ સદાદીયાનાં કલેઈમ કેસમાં રૂા.૧૪.૫૦ લાખ, કુતીયાણાના સીંધપુર ગામના દુદાભાઈ સરમણભાઈ મોઢવાડીયાનાં કલેઈમ કેસમાં રૂા.૧૩ લાખ, અજયભાઈ હર્ષદભાઈ દલસાણીયા (રહે.નવાપરા વાંકાનેર)ના કલેઈમ કેસમાં રૂ.૧૩ લાખ, મોરબીના  મકનસરના મહેશભાઈ બાબુભાઈ પીપળીયાનાં કલેઈમ કેસમાં રૂા.૧૨ લાખ, દ્વારકાના ટુપણી ગામના દેશુરભાઈ વજશીભાઈ ગોધમનાં કલેઈમ કેસમાં રૂ.૧૧.૯૩ લાખ, રાજકોટના મોટા મોવાના ભાનુબેન પ્રવિણભાઈ દેત્રોજાનાં કલેઈમ કેસમાં રૂા. ૧૧.૪૦ લાખ ઉનાના સીલોજ ગામના ધીરેશભાઈ ભીમાભાઈ સોલંકીનાં કલેઈમ કેસમાં રૂા.૧૦.૫૦ લાખ, વાંકાનેરના નવાપરાના આકાશભાઈ રણછોડભાઈ સારલાનાં કલેઈમ કેસમાં રૂા.૧૦ ૩૦ લાખ , રાજકોટના જૂના મોરબી રોડ પરના ખોડીયાર પાર્કના ધીરૂભાઈ બચુભાઈ રાતોજાના કલેઈમ કેસમાં રૂા.૧૦ લાખ સહીત કુલ ૪૦ કલેઈમ કેસમાં કુલ રૂા.૩ કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તમામ કલેઈમ કેસોમાં અરજદારો વતી રાજકોટનાં અકસ્માત વળતર અંગેના કલેઈમ કેસોનાં જાણીતા એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ,  સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળિયા (ગઢવી),
આસીસટન્ટ જતીન પી. ગોહેલ, દિનેશ ડી. ગોહેલ અને જયેશભાઈ મકવાણા રોકાયા હતા.
Exit mobile version