Rajkot:આજીડેમમાંથી અજાણ્યા યુવકની મળી લાશ

પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ આદર્યો

Rajkot,તા.૨૦
શહેરના આજીડેમમાંથી અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની માહિતી મળતા જ બેડિપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજીડેમ નજીક આવેલા આર.કે. ગેઈટ પાસે ગતરોજ રાહદારીને સાંજના સમયે પાણીમાં તરતી લાશ જોવા મળતા ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ બેડીપરા ફાયર સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈને પાણીમાંથી મૃત દેહને બહાર કાઢ્યો હતો. જે બાદ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જો,કે પોલીસને લાશ પાસથી કોઈ પણ જાતના ઓળખ ને લગતા પુરાવા મળી આવ્યા ન્હોતા. બનાવ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે જરૂરી તપાસ હાથ ધરી છે.

Leave a Comment