મોટાવળા ગામે ચેકડેમ માંથી જયેશભાઇ ભૂતનો મૃતદેહ મળ્યો: અકસ્માતે પડી ગયા હોવાની પોલીસને શંકા
Rajkot,તા,03
રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર રહેતા ઓર્કિડ હોસ્પિટલના સંચાલક અને બાળ રોગના નિષ્ણાંત તબીબ ગઈ કાલે સાંજે મોટાવળા ગામે આવેલ વાડીએ હતા અને ત્યાંથી ચાલવા ગયા બાદ પરત નહિ ફરતા તેની વાળી સંભાળતા માણસે શોધખોળ કરતા વાળી નજીક આવેલ ચેકડેમ માંથી મૃતદેહ મળતા પરિવારને જાણ કરતા પરિવારમાં ગમગીની છવાય હતી. આપઘાત કે અકસ્માત તે જાણવા મેટોડા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ઢેબર રોડ મેઈન રોડ, શ્રમજીવી સોસાયટીના મંત્રમ બંગલોમાં રહેતા અને ઢેબર મેઈન રોડ પર ઓર્કિડ હોસ્પિટલના સંચાલક અને બાળ રોગના નિષ્ણાંત તબીબ જયેશ હંશરાજભાઈ ભૂત ઉવ 71 વળા ગઈ કાલે બપોર પછીના સુમારે ઘરેથી નીકળી મેટોડાના મોટવળા ગામે આવેલ વાડીએ ગયા હતા અને બાદમાં 4.30 વાગ્યે પોતાના નિત્ય ક્રમ મુજબ વાડીએથી ચાલવા માટે નીકળા હતા બાદમાં સાંજના 7.30 જેટલો સમય થઈ જતા પોતાની વાળી સંભાળતા માણસે તેની શોધખોળ હાથ ધરી હતી બાદ વાળીની આસપાસના વિસ્તારમાં તપાસ કરતા વાળી નજીક આવેલ ચેકડેમ માંથી તબીબનો પાણીમાં તરતો મૃત દેહ જોવા મળ્યો હતો.માણસે મૃતદેહને પાણીની બહાર કાઢી તબીબના પરિવારને જાણ કરતા પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મેટોડા પોલીસને જાણ કરી હતી પોલીસે મૃતદેહને પી. એમ. અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પોલીસ પાસેથી વધુ જાણવા મળતી વિગત મુજબ મૃતકને સંતાનોમાં બે દીકરા છે જેમાંથી એક ઓર્થોપેડિક સર્જન અને એક બાળ રોગના નિષ્ણાંત છે. મૃતકને ફોટો ગ્રાફી અને સોસીયલ મીડિયામાં રિલ્સ બનાવવાનો શોખ હતો. બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી તબીબનો આપઘાતકે અકસ્માત તે જાણવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.