Site icon Shri Nutan Saurashtra

દેશભરમાં કેમ Bharat Jodo Yatra યોજી તેનું સાચું કારણ રાહુલ ગાંધીએ અમેરિકામાં જણાવ્યું

Texas,તા.09

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે ટેક્સાસના ડલ્લાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

કયા કયા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી..? 

દેશની બેરોજગારી સમસ્યાથી લઈને ભગવાન સુધી કોંગ્રેસના સાંસદે અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું કે તેને આ યાત્રા શા માટે કરવાની જરૂર પડી.

ભારતમાં વાતચીતના તમામ રસ્તા બંધ કરાયા હતા : રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રાની શરૂઆત અને તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં વાતચીત કરવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા હતા.“પહેલો સવાલ એ છે કે મેં ચાર હજાર કિલોમીટરની મુસાફરી શા માટે કરી? આનું કારણ એ હતું કે ભારતમાં કમ્યુનિકેશનના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા. અમે સંસદમાં બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું પ્રસારણ ન થયું. અમે મીડિયાનો સંપર્ક કર્યો, પરંતુ તેઓએ અમારી વાત સાંભળી નહીં. અમે કાનૂની સંસ્થાઓને દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું.

તો આ કારણે યોજી યાત્રા…? 

દરેક જગ્યાએ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જનતા સુધી કેવી રીતે પહોંચવું તે સમજાતું ન હતું. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે જો મીડિયા અને સંસ્થાઓ જનતા સાથે જોડાવા માટેનું માધ્યમ ન બની શકે તો મારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. આ માટેનો શ્રેષ્ઠ માર્ગ સમગ્ર દેશમાં પગપાળા મુસાફરી કરવાનો હતો અને મેં એ જ કર્યું.

Exit mobile version