Site icon Shri Nutan Saurashtra

Post Office Scheme બનાવી શકે છે માલામાલ, પાંચ વર્ષના રોકાણ પર 50 ટકા સુધી રિટર્ન

Mumbai,તા.24

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એ ખૂબ જ આકર્ષક રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને સુરક્ષિત રીતે નાણાંનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. આ યોજનાનું વિશેષ આકર્ષણ એ છે કે પાંચ વર્ષના રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળે છે. આ યોજના વિવિધ વય જૂથોના રોકાણકારો માટે યોગ્ય છે, તેમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહે છે અને તમે સારા રિટર્નની ખાતરી પણ આપે છે.

આ સ્કીમનો બીજો મોટો ફાયદો એ છે કે તમને ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે, જે તમારી કુલ બચતમાં વધારો કરે છે. જેમાં જુદી-જુદી મુદ્દત માટે જુદા-જુદા વ્યાજદર લાગુ છે. 1 વર્ષ માટે 6.9 ટકા વ્યાજ, 3 વર્ષની મેચ્યોરિટી પર 7 ટકા અને પાંચ વર્ષની મેચ્યોરિટી પર 7.5 ટકા વ્યાજ મળે છે.

પાંચ લાખના રોકાણ પર 50 ટકા રિટર્ન

જ્યારે રોકાણકાર આ યોજનામાં પાંચ લાખનું રોકાણ કરે છે, તો પાંચ વર્ષના અંતે તેને વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, દરવર્ષે રોકાણ પર રૂ. 7.5 ટકા વ્યાજ મળે છે. પાંચ વર્ષના અંતે કુલ 2,24,974 વ્યાજ મળવાપાત્ર હોય છે. જેથી રોકાણકારને રૂ. 5 લાખના રોકાણ પર પાંચ વર્ષના અંતે લગભગ 50 ટકા રિટર્ન મળે છે. કુલ મૂડી રૂ. 724974 થાય છે.

ટેક્સમાં છૂટનો લાભ

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરતી વખતે રોકાણકારોને ઘણા લાભો મળે છે, જેમાંથી એક મહત્ત્વનો ફાયદો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ છે. આનો અર્થ એ છે કે જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તે રકમ તમારી કુલ આવકમાંથી બાદ કરી શકાય છે, જેના પર ટેક્સ લાગશે નહીં. આ યોજના હેઠળ તમે સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

રોકાણ પ્રક્રિયા

ન્યૂનતમ રોકાણઃ રૂ. 1,000

મહત્તમ રોકાણ: કોઈ મર્યાદા નહીં, તમે જેટલું વધુ રોકાણ કરશો તેટલું વધુ વ્યાજ તમને મળશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એ એક સુરક્ષિત અને આકર્ષક રોકાણ વિકલ્પ છે, જે સારા રિટર્ન અને કર લાભો બંને આપે છે. જો તમે તમારી બચત વધારવા માંગો છો, તો આ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

Exit mobile version