Site icon Shri Nutan Saurashtra

Amreli માં પીજીવીસીએલના કર્મચારીને શોક લાગતા મોત

Amreli,તા.૨૪

અમરેલીમાં બનેલી એક કરૂણ ઘટનામાં પીજીવીસીએલના કર્મચારીનું મોત નીપજ્યુ હતું. અમરેલીના બગસરામાં આ ઘટના બની હતી. જેમાં બગસરામાં વીજ કામગીરી કરતી વખતે આ કરૂણ ઘટના બની હતી. બનાવ બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બનાવમાં એન.જી.પરમાર નામના લાઈન ઈન્સપેક્ટરનું મોત નીપજ્યુ હતું. લાઈન ઈન્સ્પેક્ટર ગ્રાહકની ફરિયાદ અંતર્ગત વીજ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને શોક લાગ્યો હતો. એન.જી.પરમાર મુળ વડોદરા જિલ્લાના બગસરા પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા હતા.

Exit mobile version