Site icon Shri Nutan Saurashtra

Tumbadની સિક્વલમાંથી મૂળ દિગ્દર્શક રાહી અનિલ બર્વે જ આઉટ

રી રીલિઝ થયેલી ફિલ્મના ચાહકો ભારે નિરાશ

રાહી ટ્રાયોલોજીના ભાગરુપે  પહાડપાનગીરા અને પક્ષીતીર્થ ફિલ્મો અલગથી બનાવશે

Mumbai,તા,23

તાજેતરમાં રી રીલિઝ થયેલી અને ફિલ્મ ચાહકોમાં બહુ વખણાયેલી ફિલ્મ ‘તુમ્બાડ’ની સીકવલ બનાવવાની જાહેરાત કરાઈ છે પરંતુ તેમાંથી મૂળ દિગ્દર્શક રાહી અનિલ બર્વેની જ બાદબાકી કરી દેવામાં આવતાં ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. રાહીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ે કેટલાય સમયથી પોતે બહુ વિલક્ષણ વિષય પર ટ્રાયોજોજી બનાવવાનું પ્લાનિંગ કરતા હતા. તેમાંથી ‘તુમ્બાડ’ રીલિઝ થઈ ચૂકી છે અને હવે પોતે ‘પહાડપાનગીરા’ અને ‘પક્ષીતીર્થ’ નામની બાકીની બે ફિલ્મો બનાવવાની દિશામાં આગળ વધશે. તેમણે ‘તુમ્બાડ’ની સીકવલ માટે એક્ટર પ્રોડયૂસર સોહમ શાહ તથા સહ દિગ્દર્શક આદેશ  પ્રસાદને શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ જાહેરાત ‘તુમ્બાડ’ના ચાહકોને પસંદ પડી નથી. તેમના મતે ‘તુમ્બાડ’ ફિલ્મ કન્સેપ્ચ્યુલાઈઝેશન તથા વાસ્તવિક ફિલ્માંકનની રીતે મૂળ રાહી અનિલ બર્વેનુ જ સર્જન છે અને તેમના વિના  સીકવલ બનાવવી એ મૂર્ખતાપૂર્ણ પગલું ગણાશે.

Exit mobile version