હવે Road ના નિર્માણમાં ઈન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે

પ્રોસેસ્ડ સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, સ્ટીલ સ્લેગ અને ઈન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરાશે

New Delhi, તા.૨૫

શહેરો માટે સમસ્યાનો પહાડ બની ચૂકેલા કચરાના નિકાલ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. નેશનલ હાઈવેના નિર્માણની પ્રક્રિયાને સ્વચ્છ ભારત મિશન-૨.૦ થી જોડતાં ઘણા મહિનાથી મંત્રાલય આ વ્યવસ્થાને લાગુ કરવા માટે કામ કરી રહ્યું હતું કે શહેરી ઘન કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવામાં આવે. હવે સરકારે સમગ્ર ગાઈડલાઈન બનાવી લીધી છે. કચરામાંથી મોટા પ્રમાણમાં નીકળતી માટીનો ઉપયોગ નેશનલ હાઈવેના નિર્માણમાં કરવાની સાથે જ રાજ્યોથી પણ કહ્યું છે કે તે પણ માર્ગના નિર્માણમાં તેનો ઉપયોગ કરી શકે છે. નેશનલ હાઈવેના નિર્માણ સાથે જોડાયેલી તમામ સંસ્થાઓની સાથે જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યોને પણ ગાઈડલાઈન જારી કરી દીધી છે.

આમાં જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સરકાર એવી નીતિ બનાવવા પર કામ કરી રહી છે કે પ્રોસેસ્ડ સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, સ્ટીલ સ્લેગ (સ્ટીલ ઉત્પાદન કચરો) અને ઈન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવામાં આવે.

આ હેઠળ હાલ શહેરોથી નીકળનાર ઘન કચરાના માર્ગ નિર્માણમાં ઉપયોગ માટે ગાઈડલાઈન બનાવી લેવાઈ છે. સરકારનું કહેવું છે કે વર્તમાનમાં લગભગ ૧૭૦૦ લાખ ટન કચરો ૨૩૦૪ લેન્ડફિલ સાઈટ પર એકત્ર છે. આના કારણે લગભગ ૧૦ હજાર હેક્ટર જમીન ઘેરાયેલી છે. આને જોતાં જ ગતિ શક્તિ અભિયાન હેઠળ હાઈવે નિર્માણને સ્વચ્છ ભારત મિશન ૨.૦ થી જોડવામાં આવ્યુ છે.

હાઈવે નિર્માણ માટે મોટા પાયે ખેતરોમાંથી માટી લેવી પડે છે. ઘન કચરાનો ઉપયોગ કરીને તેનાથી ઘણી હદ સુધી બચી શકાય છે. મંત્રાલયે જણાવ્યું છે કે ઘન કચરાની પ્રોસેસિંગથી નીકળનારી માટીથી હાઈવે નિર્માણના બે પાયલટ પ્રોજેક્ટ સફળ થઈ ચૂક્યા છે. હવે આ પ્રક્રિયાને અન્ય હાઈવેના નિર્માણમાં અપનાવવામાં આવશે અને રાજ્ય પણ રાજ્યોના માર્ગ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

ગાઈડલાઈનમાં આ પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરી દેવાઈ છે કે ડીપીઆરના સ્તરના પ્રોજેક્ટ, નિર્માણાધીન પ્રોજેક્ટ અને આગામી પરિયોજનાઓ માટે ઠેકેદારો, સંબંધિત સત્તાવાળાઓ અને સંસ્થાઓ કઈ રીતે કામ કરી શકે છે.

તમામ મામલે ત્રિપક્ષીય કરાર કરવા પડશે જેથી ઘન કચરાથી નીકળનારી માટીનો પુરવઠો નિર્માણ માટે ઉપયોગ થઈ શકે. રાજ્યોને આ વ્યવસ્થાને અમલમાં લાવવા માટે નોડલ અધિકારી નિમણૂક કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

 

Leave a Comment