Site icon Shri Nutan Saurashtra

મહંતના Wagudal Ashram નું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટીસ

RAJKOT,તા.૫

રાજકોટના મહિલા કોલેજ અન્ડર બ્રીજ ખાતે જીએસટી અધિકારીની કારના કાચની તોડફોડ કરી બખેડો કરનાર વાગુદડના યોગી ધર્મનાથ આશ્રમના મહંત ધર્મનાથે વાગુદડના સરકારી સર્વે નં.૩૨ ની એક એકર જમીન પર કબ્જો જમાવી ત્રણ ઓરડીઓનું બાંધકામ ખડકી દીધાનું ખુલતા અનઅધિકૃત રીતે ખડકી દીધેલા આ બાંધકામને તોડી પાડવા માટે રેવન્યુ તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ આશ્રમની પોલીસ કાફલા દ્વારા કરાયેલ તપાસ દરમ્યાન ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેથી સાથોસાથ લોધીકા તાલુકા મામલતદારે પણ નાયબ મામલતદરોની ટીમ મોકલી યોગી ધર્મનાથ આશ્રમની જમીન અંગે કરાયેલ તપાસમાં આશ્રમની એક એકર જમીન પર અનઅધિકૃત રીતે કબજો જમાવી ત્રણ ઓરડીઓ ખડકી દીધાનુ આ મહંતને આ ગેરકાયદે દબાણ હટાવવા માટે રેવન્યુ તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

Exit mobile version