Site icon Shri Nutan Saurashtra

મ્યુ. ફંડ ક્ષેત્રે લગભગ 5 કરોડ investors, આગામી 3-4 વર્ષમાં 10 કરોડ થશે

Mumbai,તા.26

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો આધાર સપ્ટેમ્બરમાં ૫ કરોડને પાર થવાની ધારણા છે. ઇક્વિટી માર્કેટમાં સતત તેજી અને નવા ફંડ ઓફરિંગ (એનએફઓ)માં સતત વધારા વચ્ચે માત્ર ૧૨ મહિનામાં ફંડ રોકાણકારોની સંખ્યામાં ૧ કરોડથી વધુનો વધારો થયો છે.

ફંડ રોકાણકારોની સંખ્યામાં છેલ્લે ૧ કરોડનો વધારો થતાં ઉદ્યોગને ૨૧ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે રોકાણકારોની સંખ્યા ૨ કરોડથી ૪ કરોડ સુધી પહોંચવામાં ૨૬ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. રોકાણકાર નંબરની ગણતરી ફંડ સ્કીમ સાથે નોંધાયેલા પાન નંબર પરથી કરવામાં આવે છે. ફંડ ઉદ્યોગના જણાવ્યા અનુસાર, ઇક્વિટી રોકાણના વધતા વલણને કારણે રોકાણકારોની વૃદ્ધિમાં મદદ મળી છે.

આ સમયે રોકાણકારો આપણા દેશના વિકાસમાં ભાગ લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા બજાર આધારિત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે તમામ અર્થતંત્રો અને ક્ષેત્રોમાં ફંડ ઓફર કરે છે. જેમ જેમ દેશ અને વસ્તી ભારતની લાંબા ગાળાની સફળતામાં વધુ આત્મવિશ્વાસ ધરાવે છે, તેમ મૂડીબજારોમાં રોકાણકારોના રસમાં વધારો જોવા મળ્યો છે..

ઉદ્યોગના સુત્રોનું કહેવું છે કે ઇક્વિટી અને સિપ રોકાણ માટે વધતા રસને કારણે આગામી ૩-૪ વર્ષમાં ફંડ રોકાણકારોની સંખ્યા બમણી થઈને ૧૦ કરોડ થવાની ધારણા છે. ઉદ્યોગે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ કરોડ રોકાણકારોનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યાં સુધીમાં કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) પણ રૂ. ૧૦૦ લાખ કરોડને પાર કરી શકે છે.

વિશ્લેષકોનું કહેવું છે કે કોરોના પછી ઇક્વિટીમાં નાના રોકાણકારોની રુચિ ઝડપથી વધી છે, ત્યારે રોકાણકારોની સંખ્યામાં તાજેતરનો વધારો બજારની તેજી, ઇક્વિટી સ્કીમના મજબૂત પ્રદર્શન અને વધતી જતી એનએફઓ  ઓફરને કારણે છે.  મે-ઓગસ્ટ સમયગાળામાં, મ્યુચ્યુઅલ ફંડ્સે ૨૧ નવી ઇક્વિટી સ્કીમ્સ થકી સામૂહિક રીતે રૂ. ૪૮,૭૩૫ કરોડ ઊભા કર્યા હતા.

Exit mobile version