Vinchiya: કુળવધુને મરવા મજબૂર કરવામાં ગુનામા સાસુના આગોતરા જામીન મંજૂર

મોટી લાખાવાડ ગામના યુવક સાથે પ્રેમલગ્ન બાદ પતિ સહિત સાસરીયા ત્રાસ આપતા કર્યો આપઘાત

Vinchiya,તા.૦૧
વિછીયા તાલુકાની મોટી લાખાવાડ ગામની કુળવધુને મરવા મજબૂર કરવાના ગુનામાં પોલીસ ધરપકડની દેહસતથી સાસુ ભાનુબેન વાલાણીએ   કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ વિછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતા સેજલબેન ઉર્ફે ભાનુબેન બળવંત વાલાણી નામની પરણીતાએ ગત તારીખ 9/ 7 /24 ના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતક સેજલબેન ના પિતા પરસોત્તમભાઈ સાકરીયા એ વિંછીયા પોલીસ મથકમાં મૃતક સેજલબેન ના પતિ બળવંત વાલાણી, સાસુ ભાનુબેન જીવરાજભાઈ વાલાણી અને દીયરત્રાસથી આ પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સેજલબેન ને વર્ષ 2023 માં બળવંતભાઈ વાલાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા બાદ પતે સહી સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે પતિ સહિત સાસરીયા સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બાદ સાસુ ભાનુબેન જીવરાજભાઈ વાલાણી એ ધરપકડની દહેશત થી રાજકોટની અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જામીન અરજી સુનાવણી પર આવતા  સરકાર તરફથી એવી દલીલ કરેલી કે  તપાસ ચાલુ હોય તથા સાક્ષીને તોડવાનું પ્રયત્ન કરશે તેમ જ ફરિયાદમાં પણ હાલના અરજદારનું નામ જોગ ફરિયાદ હોય આવા કિસ્સામાં અરજદારના આગોતરા જામીન નામંજૂર કરવા વિનંતી કરી હતી. બાદ બચાવ પક્ષે કલ્પેશ એલ સાકરીયા દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપી સમાજમાં પ્રતિષ્ઠ વ્યક્તિ  અને વૃદ્ધ  છે. કોઈ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી તેમ જ  હાઇકોર્ટ અને  સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકેલા જે ધ્યાને લઈ  ભાનુબેન જીવરાજભાઈ વાલાણી ના આગોતરા જામીન મંજૂર કરી કર્યા છે.આરોપી વતી  જાણીતા યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા તથા કાનજી સી. શેખ, મિલન પી થોરીયામેર, રવિન એન. સોલંકી, ભરત બી. ડાકી તથા કુલદીપ એન. મકવાણા રોકાયેલ હતા.

Leave a Comment