Site icon Shri Nutan Saurashtra

Surat માં મચ્છરે લીધા ૨ લોકોના જીવ, ૧૩ લાખ ઘરમાં સરવે કરાયો

Surat,તા.૧૬

સુરતને રોગચાળાએ બાનમાં લીધુ છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે તેમજ ૨ લોકોના મોત પણ થયા છે. અત્રે જણાવીએ કે, સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના ૮૫, ડેગ્યુના ૪૯ કેસ નોધાયો છે.

સુરતમાં વકરેલા રોગચાળાના પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી. જેને લઈ સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાગડીયાએ જણાવ્યું કે, ગત મહિનામાં ૨૬ લાખ ઘરોમાં સર્વે થયો હતો. જેમાંથી ૬૬ હજાર ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે. ચાલુ મહિનામાં ૧૩ લાખ ઘરોમાં સર્વે કરાયા છે.

વધુમાં કહ્યું કે, ૪ હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન આઇડેન્ટિફાઈ થયા હતા. જ્યારે ૩૯ લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. તો ૮૬૮ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા ૯૦૦૦ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. હાલ લોકપ્રતિનીધીનાં સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમજ દરેક લોકપ્રતિનિધિને કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે

Exit mobile version