Site icon Shri Nutan Saurashtra

Rajkot ની બેંક સાથે ઠગાઈ કરનાર શખ્સ 22 વર્ષથી પુણેથી ઝડપાયો

દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર શખ્સને પાંચવડાથી પકડી લેવાયો
Rajkot,તા.૩૦
રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી ફરાર હોય તેમજ સજાના વોરન્ટ નીકળ્યા બાદ ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવાની કામગીરી દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે બાવીસ વર્ષથી ભક્તિનગર પોલીસના ઠગાઇના ગુનામાં ફરાર શખ્સને પુનાથી પકડી લીધો છે. જ્યારે ડીસીબીના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર શખ્સને પાંચવડા ગામેથી પકડયો છે. બીજી તરફ સજાના વોરન્ટમાં છ મહિનાથી ફરાર શખ્સને ગાંધીગ્રામમ પોલીસની ટીમે દબોચ્યો છે.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૨માં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ઠગાઇનો ગુનો દાખલ થયો હતો. જે તે વખતે આરોપી નૈમિષ વિનોદભાઇ કાથરાણી (જે હાલ ૪૭ વર્ષનો છે) તે ભાગી ગયો હતો. પોલીસ આ શખ્સની શોધખોળ કરતી હતી પણ તે મળ્યો નહોતો. દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનામાં સામેલ શખ્સ નૈમિષ હાલ પુના-પુણે ખાતે રહે છે. તેના આધારે ટીમ ત્યાં પહોંચી હતી.
પુણેમાં ફલેટ નં. ૧૦૩, એ-વીંગ ૧૮, લેટીટયુટ ફેઇઝ-૧ ગાયકવાડનગર રોડ ખાતેની નૈમિષ કાથરાણીને પકડી લઇ ભક્તિનગર પોલીસને સોંપાયો છે. તેના વિરૂધ્ધ અલ્હાબાદ બેંકમાં ખોટા બાનાખત રજીસ્ટર કરી લોન મેળવી લેવાનો ગુનો ૨૦૦૨માં નોંધાયો હતો. પુણે જઇ તે પ્રાઇવેટ નોકરી કરતો હતો. થોડા સમય પહેલા તેના પરિવારને પણ ત્યાં લઇ ગયો હતો.
બીજા બનાવમાં ડીસીબી પોલીસના દારૂના ગુનામાં નવ વર્ષથી ફરાર રાજુ વેલાભાઇ મકવાણા (ઉ.વ.૪૫-રહે. પાંચવડા તથા ખેરાણાની સીમ તા. ચોટીલા)ને પાંચવડાથી પકડી ડીસીબીને સોંપાયો છે. ૨૦૧૬માં દારૂનો ગુનો નોંધાયો તેમાં નામ ખુલ્યું ત્યારથી ફરાર હતો.
Exit mobile version