ગ્રામ પંચાયત સરાય જગનામાં સરકારી જમીન પર બનેલા ૨૩ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ચલાવ્યું હતું
Lucknow, તા.૨૫
યુપીના બહરાઈચ જિલ્લામાં આજે બુલડોઝરવાળી થઈ છે. બહરાઈચના કેસરગંજ વિસ્તારના ફખરપુર બ્લોકના ગ્રામ પંચાયત સરાય જગનામાં સરકારી જમીન પર બનેલા ૨૩ ગેરકાયદેસર મકાન પર આજે બુલડોઝર ચલાવ્યુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગામમાં પોલીસ પીએસસીની સાથે એસડીએમ અને અન્ય જિલ્લાના અધિકારી હાજર રહ્યા. જોકે, ગ્રામજનો તરફથી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. જિલ્લા તંત્રની આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવી રહી છે. આ માટે ગામમાં પહેલા જ જાહેરાત કરી દેવાઈ છે.
સરાય જગનામાં જમીન અને રસ્તા પર ગામના લોકોએ ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. કોઈકે પાક્કી તો કોઈકે કાચી ઝૂંપડી બનાવી લીધી છે. ૧૨૯ થી વધુ લોકો પોતાનું નિવાસ સ્થાન બનાવીને રહી રહ્યાં છે. આમાં મોટાથી લઈને બાળકો પણ સામેલ છે. જિલ્લા તંત્ર આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ પર કરવા જઈ રહ્યું છે. આ માટે ગામમાં પહેલા જ જાહેરાત કરી દેવાઈ છે. ગ્રામીણોએ જણાવ્યુ કે તમામ ૫૦ વર્ષોથી મકાન બનાવીને રહી રહ્યાં છે પરંતુ હવે આ જમીનને મહેસૂલ અધિકારીઓએ કબ્જામાં લેવા માટે નોટિસ જારી કરી છે. નોટિસ વર્ષ ૨૦૨૩માં જ મળી ચૂકી હતી. તે બાદ પણ જમીન પર કબ્જો હટાવવામાં આવ્યો નહીં. કોર્ટે જમીનથી કબ્જો હટાવવાના આદેશ આપ્યા. તંત્રનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક અને પ્રભાવિત લોકોનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ૨૩ નહીં પરંતુ ૧૧૯ ઘર પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે અહીં સંપૂર્ણ વસતી વસે છે. અહીં ઘણા પ્રધાનમંત્રી આવાસ પણ બનેલા છે.