કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન

West-Bengal,તા.08

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી.

80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પ.બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

કોલકાતામાં ચાલી રહી હતી સારવાર 

કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા.

Leave a Comment