Lalu Prasad Yadav અને તેમના પુત્રોને મળ્યા જમીન

આગામી સુનાવણી ૨૫મી ઓક્ટોબરે થશે : આ કેસમાં કોઈ યોગ્યતા નથી આ અમારી વિરુદ્ધ ષડયંત્ર : તેજસ્વી યાદવ

New Delhi, તા.૭

લેન્ડ ફોર જોબ સ્કેમ મામલે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે આ મામલે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને જામીન આપી દીધા છે. કોર્ટે તમામ આરોપીઓને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.  આરોપીઓને જામીન આપતાં કોર્ટે કહ્યું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કોર્ટે તમામને ૧ લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપી છે. સુનાવણી દરમિયાન ઈડ્ઢએ કોર્ટને કહ્યું કે રાબડી દેવી, હેમા યાદવ અને મીસા યાદવને જામીન આપવા માટે અગાઉના આદેશની જેમ જ ડાયરેક્શન આપી શકાય છે. ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી ૨૫મી ઓક્ટોબરે થશે.

લાલુ, તેજસ્વી, તેજપ્રતાપ સહિત તમામ ૯ આરોપીઓને એક-એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર રાઉઝ એવેન્યુ કોર્ટે જામીન આપ્યા છે. આરોપોઆરોપો ઘડવા પર ઊલટતપાસ પહેલાં ચાર્જશીટ અને તેના સંબંધિત દસ્તાવેજોની તપાસ એટલે કે સ્ક્રૂટની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

ઈડ્ઢએ ચાર્જશીટમાં તેજ પ્રતાપ યાદવને આરોપી નથી બનાવ્યો પરંતુ કોર્ટે તેજ પ્રતાપ યાદવને સમન્સ જારી કરતા કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ પણ લાલુ યાદવ પરિવારના સભ્ય છે અને મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકાનો ઈનકાર ન કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે મોટી સંખ્યામાં જમીન અને મિલકતોના ટુકડા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. યાદવ પરિવારે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. યાદવ પરિવારના નામે પ્લોટ ટ્રાન્સફર થયા છે.

લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપની સાથે મીસા ભારતી પણ છે. પરંતુ મીસા ભારતીને ઈડ્ઢ મામલે પહેલા જ સમન્સ જારી કરવામાં આવી ચૂક્યું છે અને તેને જામીન મળી ગયા છે. આજના સમન્સ હિસાબે મીસા ભારતીને હાજર થવાની જરૂર નહોતી. તેજસ્વી યાદવે લેન્ડ ફોર જોબ કેસમાં રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કહ્યું કે, આ રાજકીય પ્રતિશોધનો મામલો છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી આ અમારી વિરુદ્ધ ષડયંત્ર છે. અમને કોર્ટ પર વિશ્વાસ છે. તેમણે અમને જામીન આપ્યા છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

 

Leave a Comment