Site icon Shri Nutan Saurashtra

Khodaldham માત્ર ધાર્મિકતા નહિં,આરોગ્ય સહિતની સમાજસેવા પ્રસરાવે છે: Naresh Patel

Mehsana,તા.26
શ્રી ખોડલધામ ઉતર ગુજરાતનાં કન્વીનરો અને સભ્યોની મીટીંગ ગુરૂવારે સંડેર ખાતે અધ્યક્ષ નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી. મીટીંગમાં ઉપસ્થિત પાટણ, મહેસાણા, બનાસકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાનાં કન્વીનરો સહિત સંડેર અને આજુબાજુનાં ગ્રામજનોએ શ્રી ખોડલધામનાં મંદિર નિર્માણ બાબતે પ્રશ્નોતરી કરી વહેલી તકે સંડેરમાં કાગવડ સ્થિત શ્રી ખોડલધામનું નિર્માણ કરવામાં આવે તે દિશામાં કાર્યનો પ્રારંભ કરવા જણાવ્યું હતું.

ખોડલધામ સમિતિનાં ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ખોડલધામ ગુજરાતના 11 ઝોનમાં વહેંચાયેલા છે. ત્યારે ખોડલધામ સંસ્થાની પારદર્શિતા મહત્વની છે. ખોડલધામનું નિર્માણ ફકત ધાર્મિકતા પુરતુ જ નહિં પરંતુ તેની સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને ખેડુત લક્ષી સહીતની સેવાઓ પ્રદાન કરવાનું રહેલુ હોવાની જણાવી ખોડલધામનાં નિર્માણ કાર્યમાં સૌએ તન, મન અને ધનથી સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી.

આ મીટીંગમાં ઉપસ્થિત પાટણનાં ધારાસભ્ય અને ખોડલધામનાં ટ્રસ્ટી ડો.કીરીટ પટેલે સંડેર ખોડલધામનાં નિર્માણ બાબતે રૂપરેખા રજુ કરી આ. મંદિર નિર્માણની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંડેર ખાતે મીટીંગ પુર્ણ થયા બાદ શ્રી ખોડલધામ ઉતર ગુજરાતનાં ક્ધવીનરો સહિતના સભ્યો સાથે ચેરમેન નરેશભાઈ પટેલ સહીતનાં આગેવાનોએ સંડેરમાં આકાર પામનાર શ્રી ખોડલધામ સંકુલ ખાતે મંદિર પ્લાનનું નિરિક્ષણ કરી પરિસરમાં વૃક્ષોનું રોપાણ કરી તેના જતન સાથે હરીયાળુ બનાવવા સંકલ્પ લીધા હતા.

Exit mobile version