Site icon Shri Nutan Saurashtra

Keshod : અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારનું મોત

Keshod,તા.૨૬
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે રહેતા વૃદ્ધને ગત તા. 17/7 ના બાઈક લઈને જતા હતા ત્યારે મેંદરડા રોડ નજીક અજાણ્યા વાહને ઠોકરે લેતાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે રહેતા વાલાભાઈ હીરાભાઈ છેલવાડા (ઉં.વ.65) નામના વૃદ્ધનું ગત તા. 17/7 ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે મેંદરડા રોડ પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતાં મોત ગંભીર રીતે ઘવાયા હતા,જેને સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ બાદ રાજકોટ ખસેડવા આવ્યા હતા,જ્યાં ચાલુ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ ગત તા. 17/7 નાં બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતાં વૃદ્ધે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે.બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ થતાં કોન્સ્ટેબલ કાજલબેન સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથધરી છે.
Exit mobile version