યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ મોદીએ સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર આપ્યો
Ukraine, તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન મોદીએ કહ્યું કે, “યુદ્ધમાં ભારતનો પક્ષ ક્યારેય ન્યુટ્રલ નહોતો, પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહે છે.” યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ મોદીએ સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર આપ્યો. તેઓએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની સ્થિતિને લઈને કહ્યું કે, “યુદ્ધ અને હિંસા સમસ્યાનું સમાધાન નથી અને વિસ્તારમાં સ્થિરતા નક્કી કરવા માટે વાતચીત અને કુટનીતિ એકમાત્ર માર્ગ છે.” ઁસ્એ કહ્યું કે, ભારત શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં સક્રિય ભૂમિકા નિભાવશે.
વડાપ્રધાન મોદીએ યુક્રેની રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ મેરિન્સ્કી પેલેસમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સ્કી સાથે મુલાકાત પછી મોદીએ કહ્યું, “યુદ્ધની ભયંકરતાથી દુઃખ થાય છે. યુદ્ધ બાળકો માટે વિનાશકારી છે.” વડાપ્રધાને કહ્યું કે, ભારત અને યૂક્રેન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. તેઓએ કહ્યું કે, “યુદ્ધથી સમસ્યાનું સમાધાન નથી થતુ. વાતચીત અને કુટનીતિથી સમસ્યાનો ઉકેલ આવે છે. બંને પક્ષ એકબીજા સાથે વાતચીત શરૂ કરો. શાંતિના પ્રયત્નોમાં ભારત સક્રિય ભુમિકા નિભાવશે. પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધમાં ભારતનો પક્ષ ક્યારેય ન્યૂટ્રલ નહોતો,” તે હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે.