Mumbai,તા.14
માનુનીઓ ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખવા માટે મોંઘા-મોંઘા સ્કિન કેર પ્રોડકટસનો ઉપયોગ કરતા હોય છે. તેમજ ત્વચાની વિશેષ ટ્રીટમેન્ટ પર કરાવતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે હેલ્ધી સ્કિન માટે આર્ટિફિશયલ પ્રોડક્સની બદલે રોજિંદા આહારમાં નાના-મોટા ફેરફાર કરવાથી અને હેલ્ધી ડાયટ લેવાથી ત્વચાને પોષણ મળે છે. ત્વચા નિષ્ણાંતોના અનુસાર, ગ્લોઇંગ અને રેડિએન્ટ સ્કિન મેળવવા માટે રોજિંદા ડાયટમાં એન્ટી ઓક્સિડન્ટસથી ભરપુર ખાદ્યપદાર્થોને સામેલ કરવા જરૂરી છે.
– ટામેટા
હેલ્ધી સ્કિન માટે રોજિંદા આહારમાં એન્ટીોક્સડન્ટથી ભરપુર ટામેટાને સામેલ કરવા જોઇએ. તેમાં એન્ટીઓક્સીડન્ટ ઉપરાંત વિટામિન એ, સી અને બીવન તેમજ વિટામીન બી૬ સમાયેલા હોય છે. જે સ્કિનને હેલ્ધી રાખવાની સાથેસાથે કાર્ડિયોવૈસ્કુલર હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ટામેટામાં સમાયેલ લાઇકોપીન સ્કિનને સૂર્યના આકરા કિરણોથી રક્ષણ આપે છે જદેથી ત્વચાને નુકસાન પહોંચતું નથી.
-ગ્રીન ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તે મોટા ભાગના લોકો જાણે છે. ગ્રીન ટી એન્ટી ઓક્સડન્ટસથી ભરપુર હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સ અને ઇન્ફેમેશનથી રક્ષણ કરે છે. તેથી નિયમિત રીતે ગ્રીન ટીનું સેવન કરવાથી ત્વચાની ગુણવત્તા જળવાઇ રહે રહેતી હોવાથી ત્વચા યુવાન અને ખૂબસૂરત રહે છે.
– બ્લેક બેરીઝ અને બેરીઝ
બ્લૂ બેરી, બ્લેક બેરી અને સ્ટ્રોબેરી એન્ટી ઓક્સડન્ટસથી ભરપુર હોય છે.
બ્લેકબેરીઝમાં આ એન્ટી ઓક્સડન્ટસ હોવાની સાથેસાથે પોલીફેનોલ્સ, વિટામિન એ, સી, ફાઇબર, એથોસ્યાનિંસ, વિટામિન ઇ સમાયેલું છે. જે ત્વચાને સ્વસ્થ રકાખવાની સાથેસાથબ્મગજના ફંકશન અને કાર્ડિયોવૈસ્કુલર હેલ્થ માટે પણ ઉત્તમ સાબિત થાય છે. બેરીઝને દહીં અથવા સ્મૂધી સાથે ખાઇ શકાય છે.
– પાલક
પાલકમાં કુદરતી જ એન્ટી ઓક્સીડન્ટસની સાથેસાથે લુટિન, પ્રોટીન, વિટામિન સી અને વિટાઇન ઇ ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. જે ત્વચાને કુદરતી ચમકીલી કરે છે તેમજ ત્વચાને હાનિ પહોંચાડનારાઓથી રક્ષણ આપે છે. ત્વચા નિષ્ણાંતના અનુસાર રોજિંદા આહારમાં પાલકને સમાવાથી ત્વચા સ્વસ્થ, યુવાન અને ચમકીલી રહે છે. પાલકને નિયમિત રીતે આહારમાં સલાડ, સૂપ તેમજ શાક તરીકે સમાવી શકાય છે.
– બીટ
નિષ્ણાંતોના અનુસાર, બીટને રોંજિદા આહારમાં સમાવવું જરૂરી છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટસની સાથેસાથે એલ્ફા લિપોઇફ એસિડ પણ સમાયેલુ ંહોય છે. જે ત્વચાને સેલને રિજનરેશન કરીને ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખવામાં મદદ કરે છે. બીટમાં નાઇટ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે રક્તસચારને સુધારીને ત્વચા અને વાળને કુદરતી રીતે જ સ્વસ્થ અને ચમકીલા રાખે છે.
– કીવી
કીવી ફળમાં એન્ટી ઓક્સિડન્ટસની સાથેસાથે વિટામિન ઇ અને વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ત્વચાને બ્રાઇટ, સ્વસ્થ અને ગ્લોઇંગ રાખે છે. તેમજ તે પાચનક્રિયાને પણ સુધારે છે. તેથી કીવીને સવારના નાસ્તામાં લેવાથી ફાયદો થાય છે.