Hindu women ઓએ પોતાનું ફિગર જાળવવાનું બંધ કરવું જોઈએ, ૪-૪ બાળકોને જન્મ આપવો જાઇએ Premanand Maharaj

Ujjain,તા.૨૬

ભાગવત કથામાં હું એ વાતો કહેવા નથી આવ્યો જે તમારા કાનને પ્રિય છે, પણ હું એ વાતો કહું છું જે સનાતન ધર્મને આગળ લઈ જશે. અત્યારે તો બધા સનાતનનો ધ્વજ લહેરાવીને આ ધર્મને આગળ લઈ જવાની વાત કરે છે, પણ હું બધાને ચેતવણી આપું છું કે અત્યારે પણ સાવધાન રહેવું જોઈએ, ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લા આપણા હાથમાંથી છીનવાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ છે, ત્યાંના લોકો પણ આ જ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આસામમાં ૫ લાખ લોકો પાસે પાસપોર્ટ અને વિઝા નથી. મારો સીધો મતલબ એ છે કે ૨૫ વર્ષ પહેલા એ લોકો ૨ કરોડ હતા, પછી ૯ કરોડ થયા અને હવે ૩૮ કરોડ થઈ ગયા છે. હજુ પણ સમય છે, સાવચેત રહો નહીંતર ભારત પણ ઇન્ડોનેશિયા બની જશે અને ટૂંક સમયમાં તમારી ગણતરી પણ લઘુમતીઓમાં થશે. આ વાતો પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે ઉજ્જૈનના બદનગર રોડ પર મોહનપુરામાં શ્રી બાબાધામ મંદિર (અરજીવાલે હનુમાન ૮૧ ફૂટ)માં શ્રીમદ ભાગવત કથા દરમિયાન કહી હતી.

પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન જણાવ્યું હતું કે આજે સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે મહિલાઓએ ચાર-ચાર બાળકોને જન્મ આપવાની જરૂર છે. હિંદુ સમુદાયની મહિલાઓ ૧ થી ૨ સંતાનો જન્માવતા પણ ખચકાય છે, જ્યારે અન્ય સમુદાયના લોકો ૮-૮ બાળકો પેદા કરે છે. હિંદુ મહિલાઓએ પોતાની આકૃતિ જાળવી રાખવાને બદલે સનાતન ધર્મ અને દેશ માટે કંઈક કરવું જોઈએ.

પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન કહ્યું હતું કે જો તમારું લક્ષ્ય ૨ બાળકોનું છે અને તમે ૩નું લક્ષ્ય રાખતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા ત્રીજા બાળકની સંભાળ લઈશું. તેમણે કહ્યું કે ઇન્ડોનેશિયામાં રામલીલા ટિકિટ સાથે જોવામાં આવે છે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભગવાનનું નામ લેવામાં આવે તો તેને કાપીને ફેંકી દેવામાં આવે છે. આપણે હવેથી જાગીને આ સમસ્યાઓ વિશે વિચારવું પડશે.

 

Leave a Comment