ગુજરાતમાં ફરી ધરતી હચમચી, કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો Earthquake

Bhuj,તા.૨૩

ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સવારે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ૈંજીઇ) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિસ્મિક પ્રવૃત્તિને કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત આઇએસઆરએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ૧૦.૦૫ વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૨ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું.

આઇએસઆર ડેટા અનુસાર, આ મહિનામાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા ચાર વખત અનુભવાયા છે. ગુજરાત સિસ્મિક પ્રવૃત્તિ માટે સંવેદનશીલ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર, આ પ્રદેશમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. આવી સ્થિતિમાં સોમવારે સવારે ૧૦ઃ૦૫ કલાકે કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ જિલ્લામાં કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી.

જીએસડીએમએ મુજબ, ૨૦૦૧નો કચ્છનો ભૂકંપ બે સદીઓથી વધુ સમયમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો અને ભારતમાં બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાતમાં ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કચ્છના ભચાઉ પાસે હતું, જેણે સમગ્ર રાજ્યને અસર કરી હતી. ય્જીડ્ઢસ્છ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપમાં લગભગ ૧૩,૮૦૦ લોકો માર્યા ગયા હતા અને ૧.૬૭ લાખ લોકો ઘાયલ થયા હતા

Leave a Comment